________________
૨૫૩
ભાગ ૩
પરંતુ આ ચિંતામણિ અને કલ્પવૃક્ષ વર્તમાન જીવનની આવશ્યક વસ્તુઓ આપે છે. સ્વર્ગ અને મોક્ષનું સુખ નથી આપી શકતાં. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સમ્યકત્વ તો સ્વર્ગ અને મોક્ષનું સુખ આપી શકે છે, એટલા માટે સમ્યકત્વને ચિંતામણિ અને કલ્પવૃક્ષથીય અધિક ગયું છે. अयरामयं ठाणं :
જ્યાં જરા-વૃદ્ધાવસ્થા નથી તે અજર અને જ્યાં મૃત્યુ નથી તે અમર ! અજર અને અમરને “અજરામર' કહે છે. આવું અજરામર સ્થાન ચૌદ રાજલોકના અગ્રભાગ ઉપર આવેલી સિદ્ધશિલા ઉપર આવેલું છે. ત્યાં સર્વ સિદ્ધ આત્માઓ વસે છે. આ સ્થાનને મોક્ષ અથવા મુક્તિપુરી પણ કહે છે.
જીવને સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી કાલક્રમથી સમ્યગૂજ્ઞાન અને સમ્યક્યારિત્રની પ્રાપ્તિ થાય છે. આ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રથી જીવ અજરામર સ્થાન પામે છે. “સમ્યકત્વ મોક્ષ પામવા માટેનું પ્રથમ સોપાન છે. એ દ્રષ્ટિએ અહીં કહેવામાં આવ્યું છે કે સમ્યકત્વ પામવાથી જીવ મુક્તિ પામે છે.
આ સ્તોત્રની પાંચમી અને અંતિમ ગાથા આ પ્રકારની છેઃ इअ संथुओ महायस ! भत्तिब्भरनिब्भरेण हियएण । ता देव ! दिज्ज बोहिं भवे भवे पास जिणचंद ! ॥
હે મહાયશવાળા, ગૈલોક્યવ્યાપી કીર્તિવાળા ! મેં આ રીતે ભક્તિથી ભરપૂર અંતઃકરણ દ્વારા આપની સ્તુતિ કરી છે. એટલા માટે હે દેવાધિદેવ ! હે જિનચંદ્ર ! મને દરેક જન્મમાં બોધિ (જિનધમ) આપજો. જેથી હું આપની નિરંતર ભક્તિ કરી શકું અને ભવસાગર તરી શકું.”
સ્તોત્ર અને સ્તવનમાં ઈષ્ટદેવને નમસ્કાર કરવામાં આવે છે. તેમના અદ્ભુત ગુણોનું કીર્તન કરવામાં આવે છે, અને અંતમાં પ્રાર્થના કરવામાં આવે છે.
ધાર્મિક ક્ષેત્રમાં પ્રાર્થના ખૂબ મહત્ત્વ ધરાવે છે. વિશેષ રૂપે જ્યારે આપણે ઈષ્ટદેવની સ્તુતિ કરતા હોઈએ ત્યારે ઈષ્ટદેવને સ્વામી સમજીને અને આપણે આપણી જાતને તેમના ચરણોનાદાસ સમજીને પ્રાર્થના કરવી જોઈએ. એ પ્રાર્થનામાં આપણા આત્મકલ્યાણ માટે જે જોઈએ તે માગવું જોઈએ. માગવા માટે ર્દયમાં સ્વાર્થ નહીં પરંતુ ભક્તિ હોવી જોઈએ. भत्तिब्भरनिब्भरण : ભક્તિ એટલે આંતરિક પ્રીતિ, આદર અને બહુમાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org