SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ શ્રાવકજીવન નમઃ | આ મંત્રનો આમ્નાય ચિંતામણિકલ્પમાં બતાવવામાં આવ્યો છે. २. कुक्कुटेश्वर पार्श्वनाथ मंत्र : .. ॐ ह्रीं श्रीं अहं नमिऊण पास विसहर वसह जिणफुलिंग ૬ શ્રી નમઃ | ३. सर्वकामदाविद्या : ____ॐ ह्रीं श्रीं अहं नमिऊण पास विसहर वसह जिणफुलिंग ही श्रीं ह्रीं सर्वकामदाय नमः । –––૩ના ? જૈનશાસ્ત્રોમાં ૮૮ ગ્રહોની વાત આવે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રીની દ્રષ્ટિએ રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ - આ નવ ગ્રહો બતાવ્યા છે. મનુષ્યના જન્મ સમયે આકાશમાં આ ગ્રહો જે સ્થાનમાં હોય છે, એ પ્રકારે ગ્રહ શત્રુ યા મિત્રનું કામ કરે છે. પ્રસ્તુતમાં ગહ' શબ્દથી દુષ્ટ ગ્રહો સમજવાના છે. શ્રી હર્ષકીર્તિસૂરિજીએ ગહનો અર્થ ભૂત-પ્રેત-પિશાચ આદિ પણ કર્યો છે. 'ग्रहाः सूर्योदयो गोचरे अशुभाः भूत प्रेत पिशाचादीनां आवेशा वा। રોગ' શબ્દથી અહીં પિત્તજન્ય, કફજન્ય, વાતજન્ય તેમજ સંનિપાતજન્ય રોગ સમજવાના છે. અથવા આગમપ્રસિદ્ધ ૧૬મહારોગ સમજવાના છે. જ્ઞાતાધર્મકથા નામે આગમના ૧૩માં અધ્યયનમાં આ ૧૬ મહારોગોનાં નામ જણાવ્યાં છે. - “મારી” એટલે મારણપ્રયોગથી ફેલાયેલો રોગ અથવા મરકી. “અર્થકલ્પલતા' ગ્રંથમાં કહ્યું છે: મારિક્વ સર્વ મૃત્યુ પામશવમ્ - સર્વવ્યાપક મૃત્યુરૂપ અશિવ ! જે રોગથી મોટા પ્રમાણમાં મનુષ્ય મરવા માંડે છે, તેને મરકી કહે છે. પ્લેગ, કિૉલેરા...વગેરે આવા પ્રકારના રોગો છે. આવા સમયે આ સ્તોત્રનો એકાગ્ર મનથી સ્મરણ તેમજ વિષથમિ મંત્રનો જાપ ખૂબ જ ઉપયોગી સિદ્ધ થાય છે. દુકજરા’ એટલે દુષ્ટ જ્વર વિષમજવર. ટીકાકાર મહર્ષિઓએ દુષ્ટ જ્વરમાં અનેક પ્રકારના સ્વર બતાવ્યા છે? દાહજ્વર, વાતજ્વર, પિત્તજ્વર, વિષમજ્વર, નિત્યજ્વર, વેલા જ્વર, મુહૂર્તજ્વર વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy