SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકજીવન ૨૦૦ સિદ્ધર્ષિ ગણિવિરચિત “ચંદ્રકેવલી ચરિત્રમાંથી ? રાજા ચંદ્રકુમાર જ્યારે મુનિવર પાસેથી સમ્યકત્વ પામે છે, એ સમયે મુનિરાજ રાજાને નમસ્કાર મંત્ર સંબંધમાં કહે છે? હે રાજ ! અરિહંત ચંદ્ર જેવા શ્વેત વર્ણના છે. સિદ્ધ શ્રેષ્ઠ પદ્મરાગ જેવા રક્તવર્ણના છે. આચાર્ય સુવર્ણ જેવા પીત વર્ણના છે. ઉપાધ્યાય પ્રિયંગુ જેવા નીલ વર્ણના છે અને સાધુ અંજનમણિ જેવા શ્યામ વર્ણના છે. આ પાંચે પરમેષ્ઠીનું વિધિપૂર્વક ધ્યાન કરવું જોઈએ. * જન્મ સમયે જો આ નવકાર મંત્ર સાંભળવામાં આવે તો જીવને આ જન્મમાં સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, અને મૃત્યુ સમયે વાંચવામાં યા સાંભળવામાં આવે તો જીવ સદ્ગતિ પામે છે. * પ્રણવ, % ાર નો દી તથા અહબીજ – ગર્લ્ડ વગેરે જે પ્રભાવશાળી બીજમંત્રો છે એ સર્વેનું મૂળ શ્રેષ્ઠ નવકારમંત્ર છે. * જે ભાવિક જીવ આ નવકાર મંત્રનાં તીર્થસ્થાનમાં એક લાખ જાપ કરે છે, વિધિપૂર્વક પૂજન કરે છે, તે તીર્થંકર નામકર્મ બાંધે છે. * કરાવત (નંદ્યાવર્ત - શંખાવતીથી બારની સંખ્યાથી નવ વાર જે પંચમંગલ નમસ્કારનો જાપ કરે છે; તેને ભૂતપિશાચ વગેરે વિખ કરતાં નથી. * નવકારનો એક અક્ષર સાત સાગરોપમનાં પાપ દૂર કરે છે. એક પદથી ૫૦ સાગરોપમ પાપ અને સંપૂર્ણ નવકારમંત્રથી પ૦૦ સાગરોપમનાં પાપ નષ્ટ થાય * આ નવકાર મંત્રનું ચિંતન કરવા માત્રથી જળ તેમજ અગ્નિનો ભય દૂર થઈ જાય છે. શત્રુ, મહામારી, ચોર આદિના ઘોર ઉપદ્રવો નષ્ટ થઈ જાય છે. આ રીતે “શ્રી નમસ્કાર મહામંત્રીના વિષયમાં તમે લોકો ચિંતન-મનન કરી શકો એવી વાતો બતાવી છે. શ્રવણ કર્યા બાદ ચિંતન કરવું જ જોઈએ. એટલા માટે ગ્રંથકારે કહ્યું છે : नमस्कारादिचिन्तनम् । આદિ શબ્દથી “શ્રી લોગસ્સ સૂત્ર” તેમજ “ઉવસગ્ગહર સૂત્રનું પણ ચિંતન કરવાનો નિર્દેશ મળે છે. આ બે સૂત્રોના વિષયમાં બતાવવાનું છે, આગળ બતાવીશ. આજે બસ, આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy