________________
૧૭૪
શ્રાવકજીવન
શાંબ વિચારે છે : 'કાલે સવારે ભગવાન નેમિનાથનાં દર્શન થશે. હું ધન્ય બની જઈશ ! તીર્થંકરનાં દર્શન મહાન પુણ્યોદય થાય તો જ પ્રાપ્ત થાય છે.’
પાલક સવારે સૂર્યોદય થતાં જ અશ્વ ઉપર બેસીને જ્યાં ભગવાન નેમિનાથ બિરાજ્યા હતા ત્યાં પહોંચી ગયો. તેના હૃદયમાં ભગવાન નેમિનાથ માટે કોઈ ભક્તિભાવ ન હતો. તેના મનમાં અશ્વરત્નની લાલસા હતી. તેણે ભગવાનને વંદન કર્યાં, પરંતુ ભાવથી નહીં, માત્ર દ્રવ્યસંકોચરૂપ, દ્રવ્ય-વંદના કરી.
શાંબકુમારે સવારે ઊઠતાં જ પથારીમાં બેસીને બે આંખો બંધ કરીને બે હાથની અંજલી મસ્તક ઉપર રચીને ભાવપૂર્ણ વંદન કર્યું. પછી સ્નાનાદિ ક્રિયા પતાવીને, ઉત્તમ વસ્ત્રો પહેરીને રથમાં બેસીને સમવસરણમાં ગયો. ભગવાનને જોઈને તે ભાવવિભોર થઈ ગયો. તેણે ભગવાનને વંદના કરી અને ઉચિત જગાએ બેસી ગયો.
મહારાજા શ્રીકૃષ્ણ સપરિવાર સમવસરણમાં આવ્યા. ભગવાનને વંદના કરીને તેમણે ભગવાનને પૂછ્યું :
‘ભગવંત, આપને પ્રથમ વંદન પાલકે કર્યું કે શાંબે કર્યું ? ભગવાને કહ્યું : ‘રાજન્, પ્રથમ વંદન શાંબે કર્યું છે.’
શ્રીકૃષ્ણે શાંબને અશ્વની ભેટ આપી. પાલકનું વંદન માત્ર દ્રવ્ય-વંદન હતું. શાંબનું વંદન ભાવ-વંદન હતું.
કહેવાનું તાત્પર્ય એ છે કે દ્રવ્યવિશુદ્ધિ તેમજ ભાવવિશુદ્ધિ દ્વારા નમસ્કાર મંત્રનું સ્મરણ, મનન તેમજ જાપ કરવા જોઈએ. શ્રદ્ધાથી પંચ પરમેષ્ઠીનું શરણ લેવું જોઈએ. શરણ ગ્રહણ કરવાની શારીરિક ક્રિયા પણ કરવી જોઈએ. એથી આત્મામાં શક્તિ જાગૃત થાય છે. કર્મબદ્ધ જીવ કર્મરહિત વિશુદ્ધ આત્માઓને દ્રવ્યશુદ્ધિ તેમજ ભાવશુદ્ધિથી નમસ્કાર કરે છે, તો તે જીવ વિશુદ્ધાત્મા બનવાના આદર્શને ફળીભૂત કરે છે. એટલે કે અશુદ્ધ આત્મા વિશુદ્ધ બની જાય છે.
‘પદાર્થ’ દ્વારનું આટલું વિવેચન કર્યા બાદ હવે ‘પ્રરૂપણા’ દ્વારનું વિવેચન કરું
છું.
૫. પ્રરૂપણા :
નમસ્કાર મહામંત્રની પ્રરૂપણા બે પ્રકારે કરવામાં આવી છે ઃ
(૧) છ પ્રકા૨થી અને (૨) નવ પ્રકારથી.
પ્રથમ હું તમને ૬ પ્રકારની પ્રરૂપણા બતાવું છુંઃ
(૧) પ્િ - નમસ્કાર મંત્ર શું છે ? (૨) સ્વ નમસ્કાર કોને કરવામાં આવે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org