________________
ભાગ ૩
૧૪૫
रेचकः स्याद् बहिर्वृत्तिरन्तर्वृत्तिश्च पूरकः । ___ कुंभकः स्तंभवृत्तिश्च प्राणायामस्त्रिधेत्थयम् ॥ બહિવૃત્તિને, બાહ્યભાવને બહાર ફેંકવો એ રેચક છે, અન્તવૃત્તિને ગ્રહણ કરવી એ પૂરક છે અને એ અન્તવૃત્તિને ર્દયમાં સ્થિર કરવી એ કુંભક છે.
જૈન યોગગ્રંથોમાં પ્રાણાયામ માટે ઘણી જાતના વિવેચન-વિશ્લેષણ મળે છે. જો તમને લોકોને જિજ્ઞાસા હોય તો કોઈ અનુભવી - જ્ઞાની સાધક પુરુષના ચરણોમાં બેસીને યોગશાસ્ત્ર', “જ્ઞાનાર્ણવ' અને પતંજલિનું યોગદર્શન - આ ત્રણ ગ્રંથોનો અભ્યાસ કરજો. અલબત્ત, યોગસાધનામાં પ્રાણાયામ અપેક્ષિત હોય છે. કેમ કે એનાથી શરીર અને મનનું શુદ્ધિકરણ થાય છે. પ્રાણાયામ સિદ્ધ થયા પછી મૃત્યુસમય અને શુભાશુભનું જ્ઞાન થઈ શકે છે. પ્રત્યાહાર :
પ્રાણાયામ પછી પ્રત્યાહારનું પણ ખૂબ મહત્ત્વ છે. પ્રત્યાહારના સિદ્ધ થવાથી ચિત્ત નિરુદ્ધ થઈ જાય છે અને ચિત્તનિરોધથી ઈન્દ્રિયો નિરુદ્ધ થાય છે.
પતંજલિએ પ્રત્યાહારની પરિભાષા બાંધતા કહ્યું છે કે ઇન્દ્રિયો જ્યારે પોતપોતાના વિષયોના સંબંધથી છૂટી જાય છે અને ચિત્તના સ્વરૂપમાં વિલીન થઈ જાય છે એ જ પ્રત્યાહાર છે. આનાથી ઇન્દ્રિયો સંપૂર્ણપણે વશમાં આવે છે.
જૈન પરંપરા મુજબ બાહ્ય અને અત્યંતર વિષયોથી ઈન્દ્રિયોને દૂર કરવી એ પ્રત્યાહાર છે. શાંત યોગી, ઈન્દ્રિયો અને મનને વિષયોથી નિવૃત્ત કરીને, ઈચ્છાનુસાર
જ્યાં જ્યાં ધારણા કરે છે, એને પ્રત્યાહાર કહે છે. સંપૂર્ણ રાગ-દ્વેષથી મનને અળગું કરીને પોતાના આત્મામાં કેન્દ્રિત કરી લેવું એ જ પ્રત્યાહાર છે. ધારણા :
યોગસાધના માટે ધારણાની ભૂમિકા આવશ્યક છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે ‘ચિત્તને સ્થિર કરવું એ જ ધારણા છે. નાભિ, હૃય, નાસિકાનો અગ્રભાગ, કપાળ, ભૃકુટી, તાલુ, નેત્ર, મુખ, કાન અને મસ્તક - આ બધાં ધારણાનાં સ્થાનો છે. આમાંથી કોઈ પણ એક સ્થાન ઉપર ચિત્તને સ્થિર કરવું, ધારણા માટે આવશ્યક છે. અર્થાત્ ચિત્તનું કોઈ એક સ્થાન ઉપર એકાગ્ર થવું એ જ ધારણા છે. ધ્યાન સમાધિ :
યોગમાં ધ્યાનનું બહુ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ચિત્ત ક્યારેય સ્થિર રહેતું નથી અને વધારે સમય સુધી કોઈ ધ્યેય કે પદાર્થ પર ધ્યાન રહી શકતું નથી. માટે જ યોગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org