________________
ભાગ ૩
૧૪૩
જે આસન કરવાથી મન સ્થિર બનતું હોય, એ આસનનો ઉપયોગ ધ્યાન કરવા માટે ઉપયુક્ત છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે :
जायते येन येनेह विहितेन स्थिरं मनः । तत्तदेव विधातव्यमासनं ध्यान-साधनम् ॥
આ પ્રમાણે જે જે આસનો વડે લાંબા સમય સુધી ધ્યાન બહુ સહજતાથી કરી શકાય. એ આસનોનું વિવરણ-નિર્દેશન યોગશાસ્ત્રમાં ક૨વામાં આવ્યું છે. પર્યંકાસન, વીરાસન, વજ્રાસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન, ગૌદોહિકાસન અને કાર્યોત્સર્ગ ધ્યાન. અન્યત્ર હંસાસન, અશ્વાસન, ગાસન, ગરુડાસન, સુખાસન વગેરે આસનોનાં નામો પણ વાંચવા મળે છે. યોગના ૮ અંગ
આસનનું મહત્ત્વ જોતા મેં તમને સહુ પહેલા આસનની વાત કરી. બાકી અષ્ટાંગયોગમાં તો આસનને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે. અષ્ટાંગયોગનાં નામો આ પ્રમાણે છે : (૧) યમ,(૨) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયામ, (૫) પ્રત્યાહાર, (૬) ધારણા, (૭) ધ્યાન અને (૮) સમાધિ.
પતંજલિ મહર્ષિએ પ યમની વાત કરી છે ઃ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.
બીજે વળી ૧૦ યમની વાત કરવામાં આવી છે :
अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यं ચાર્જવમ્ ।
क्षमा धृति मिताहारः शौचं चेति यमा दशः ॥
(૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય, (૫) દયા, (૬) આર્જવ, (૭) ક્ષમા, (૮) ધૃતિ, (૯) મિતાહાર અને (૧૦) શૌચ. આ પ્રમાણે દસ યમ છે.
આસન વિષે મેં તમને પહેલા જ કહી દીધું છે. પતંજલિએ આસનની પરિભાષા કરતા કહ્યું છે : 'સ્થિરસુહમાસનમ્ એ જ આસન સમુચિત છે, જેમાં સુખપૂર્વક બેસી શકાય. દીર્ઘ સમય સુધી આરામથી બેસી શકાય. સુખાસન દુઃખાસન ના બની જવું જોઈએ !
પ્રાણાયામ :
યોગસાધનામાં પ્રાણાયામ નિતાન્ત આવશ્યક છે. પ્રાણાયામ માટે આસન સિદ્ધ થવું જરૂરી છે. કારણ કે મનના નિગ્રહ માટે પ્રાણ-શ્વાસનું નિયંત્રણ અને આધ્યાત્મિક વિકાસ માટે મનનો નિગ્રહ અચૂક આવશ્યક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org