SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ શ્રાવકજીવન આવતા હશે, કારણ કે મોટા ભાગે સિનેમા બને છે “સેક્સી” અને મારફાડનાં ! નાટકો પણ મોટે ભાગે એવાં જ બની રહ્યાં છે. છાપાઓમાં હિંસાના, ચોરીના, વ્યભિચારના અને રાજનૈતિક કપટજાળના જ સમાચાર મુખ્ય રૂપમાં આપવામાં આવે છે. રેડિયો ઉપર કેવાં ગીતો પ્રસારિત થાય છે ? કેવા સમાચાર પ્રસારિત થાય છે ? એ સાંભળીને તમારા મનમાં કેવા વિચારો આવે છે ? કર્મબંધનો આધાર વિચારો ઉપર છે. અમે લોકો તમને ટી.વી., સિનેમા, નાટક જોવાની ના કેમ પાડીએ છીએ ? તમે સમજી ગયા ને ? અમને ટી.વી.થી કોઈ દ્વેષ નથી. સિનેમા-નાટક માટે રોષ નથી, પરંતુ મનમાં તમારા લોકોની ચિંતા રહે છે. તમે લોકો પાપકર્મ બાંધી ન લો એની ચિંતા છે. : સભામાંથી ટી.વી. ઉપ૨ જોવાલાયક ઘણું ઓછું આવે છે. પરંતુ ઘરમાં ટી.વી. હોવાથી જોવાની ઇચ્છા થઈ જાય છે. મહારાજશ્રી : તમે લોકોએ જ ઘરમાં ટી.વી. વસાવ્યાં છે ને ? તમારી ઇચ્છા નહીં હોય તો તમારી શ્રીમતીજીની હશે, અથવા બાળબચ્ચાંની તીવ્ર ઇચ્છા હશે. એનાથી લાભ કેટલો થાય છે, નુકસાન કેટલું થાય છે, તેનો વિચાર કર્યો છે ? અનુકરણ શરૂ થઈ ગયું. અંધ અનુકરણ શરૂ થઈ ગયું છે. સંસ્કારોની દૃષ્ટિથી, કર્મબંધની દૃષ્ટિથી, મનની સ્વસ્થતાની દૃષ્ટિએ કદી વિચારો છો ખરા ? આજે તો હું તમને સામુદાયિક પાપકર્મના બંધનના વિષયમાં સામુદાયિક પુણ્યકર્મના બંધનના વિષયમાં વિચારવા માટે કહી રહ્યો છું. સમૂહમાં જે ક્રિયા થાય છે તે પ્રાયઃ તીવ્ર ભાવથી થાય છે, અને તેથી જ કર્મબંધ પણ તીવ્ર થાય છે. સમૂહમાં ધર્મ-આરાધના કરતા રહો ઃ જો તમારે પુણ્યકર્મ-શુભ કર્મ તીવ્રતાથી બાંધવાં છે તો તમે કેટલીક ધર્મક્રિયાઓ સમૂહમાં કરો. ભાવોલ્લાસ વધશે અને તીવ્ર કોટિનું સામુદાયિક શુભ કર્મ બંધાતું જશે. એટલા માટે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે સમૂહમાં જિનભવને જવાનું રાખો. સભામાંથી સાથે જિનમંદિરમાં જવું એ સમયની દૃષ્ટિએ બેસતું જ નથી. કોઈ સવારે પાંચ વાગે જાગે છે, કોઈ છ વાગે, તો કોઈ સાત-આઠ વાગે જાગે છે ! કોઈ મંદિરે જવું પસંદ કરે છે તો કોઈ પસંદ નથી કરતું, શું કરીએ ? : મહારાજશ્રી ઃ તમને અનુકૂળ પરિવાર કેમ મળ્યો નથી, એ વિષયમાં કદી તમે વિચાર્યું છે ? કારણ કે પૂર્વજન્મમાં પરિવાર સાથે મળીને ધર્મ કર્યો નથી. મળીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy