SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ (પ્રવચન : ૨૪) પરમ કપાનિધિ, મહાન શ્રતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત "ધર્મબિંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થજીવનનો વિશેષ ધર્મ બતાવી રહ્યા છે. બાર વ્રતોનો વિશેષ ધર્મ બતાવ્યા પછી તેઓ વ્રતધારી ગૃહસ્થની સામાન્ય જીવનચર્યા બતાવે છે. વ્રતમય જીવન સુરક્ષિત રહે એ દૃષ્ટિએ આચાર્યશ્રીએ જીવનચય બતાવી છે. સામાન્ય રીતે તમામ વ્રતધારીઓ માટે આ જીવનપદ્ધતિ બતાવી છે. વિશિષ્ટ સંજોગો ઉપસ્થિત થતાં આ જીવનપદ્ધતિમાં પરિવર્તન કરી શકાય છે, પણ તેમાં વૃષ્ટિ વ્રતસુરક્ષાની રહેવી જોઈએ. જ્ઞાની પુરુષો સવાંગીણ દૃષ્ટિવાળા હોય છે ? વ્રત આપવા માત્રથી યા તો લેવા માત્રથી કાર્ય પૂર્ણ થતું નથી. વ્રત આપનારાઓએ વ્રત લેનાર સારી રીતે વ્રતપાલન કરી શકે એવું માર્ગદર્શન આપવું જોઈએ. વ્રત લેનારાઓએ વ્રત લેવા માત્રથી પોતાની જાતને કતકત્વ સમજવી ન જોઈએ. વળી વ્રત આપનાર જ્ઞાની પુરુષ એકાંગી ન હોવા જોઈએ, તેમની દ્રષ્ટિ સવાંગીણ હોવી જરૂરી છે. "વ્રત લેનાર ગૃહસ્થ ક્યાં રહે છે,” એ સ્થાનમાં - “લોકાલીટી’માં વતપાલન કરી શકશે? “જે પરિવારમાં તે રહે છે તે પરિવારમાં રહીને તે સારી રીતે વ્રતપાલન કરી શકશે?” આવી અનેક વાતો વિચારવાની હોય છે. આવી વાતોનો વિચાર કર્યા વગર જો વ્રત આપવામાં આવે તો મોટે ભાગે વ્રતધારી માણસ પ્રતિકૂળ સંજોગોમાં વ્રતભંગ કરી બેસે છે. જો વ્રતભંગ નથી કરતો તો વ્રતને દૂષિત તો કરી જ બેસે છે. એટલા માટે સૌ પ્રથમ તો વ્રતધારીએ ક્યાં રહેવું જોઈએ, એનું ઘર કેવા સ્થળે હોવું જોઈએ, એ વાત ગ્રંથકાર બતાવે છે. સમાન ધાર્મિક મધ્યે વાસઃ તમારે એવી જગાએ રહેવું જોઈએ કે જ્યાં તમારા સમાન ધાર્મિક લોકો વસતા હોય. તમે જે ધર્મમાં માનતા હો, તે ધર્મમાં માનનારા લોકો જ્યાં વસતા હોય ત્યાં તમારે રહેવું જોઈએ. આ વાત ગ્રંથકારે કઈ દ્રષ્ટિએ કહી છે, તે તમે સમજ્યા? આ વાત તમારા વ્રતમય જીવનની સુરક્ષાની દ્રષ્ટિએ કહેવામાં આવી છે. કોઈ વાર તમારું મન વ્રતો પ્રત્યે લાપરવાહી રાખે, તમે વ્રતપાલનમાં દોષ લગાડી બેસો તે સમયે તમારો સાધર્મિક તમને પ્રેરણા આપીને વ્રતપાલનમાં દૃઢ કરી શકે છે. સાધમિકોનું આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy