SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ છે. પોતે તો નિંદાપાત્ર છે જ. એટલા માટે ધર્મક્ષેત્રમાં પ્રવેશેલી વ્યક્તિએ પોતાનો જીવનવ્યવહાર વિશુદ્ધ બનાવવો અનિવાર્ય છે. ઘોર પાપોનો ત્યાગ કરવો અનિવાર્ય છે. પરંતુ આ ત્યારે જ સંભવ બનશે કે જ્યારે તમારામાં સંકટ સમયે ધૈર્ય રાખવાની ક્ષમતા હશે. દુઃખમાં ધૈર્ય રાખવાની ક્ષમતા ઉચિત વૃત્તિ"નું ત્રીજું લક્ષણ છે. - ૨ ૬૧ દુઃખોથી, સંકટોથી જ્યારે ઘેરાઈ જાઓ ત્યારે ધૈર્ય રાખવી સરળ વાત તો નથી. તેમ મુશ્કેલ પણ નથી. જો તમારી પાસે વિચારવાની સાચી વૃષ્ટિ હશે તો તમે દુઃખમાં પણ હસતા રહેશો. સંકટમાં પણ નિર્ભય રહેશો. સંકટના સમયે તમે તમારી સહનશીલતાની શક્તિનો પરિચય આપો. સંકટથી બચવા માટે પાપ તરફ જવું નહીં. પાપોનો સહારો ન લેવો. ઉચિત વૃત્તિનું ચોથું લક્ષણ છે - શક્તિ-અનુસાર ત્યાગ કરવો, એટલે કે દાન દેવું. ગૃહસ્થ, જીવનવ્યવહારમાં જેવી રીતે ન્યાય-નીતિથી અર્થોપાર્જન કરે છે, એમ એણે નમ્રતાથી ઉદારતાપૂર્વક દાન પણ આપવાનું છે. દાનની આરાધના કરવાની છે. પૂજ્યોને સુપાત્ર દાન આપવાનું છે. દીન, અનાથ, નિર્ધનોને અનુકંપા-દાન આપવાનું છે. આ ઉચિત જીવનવ્યવહારનું એક અંગ છે. પાંચમું લક્ષણ છે - લબ્ધલક્ષ્યતા. ચૈત્યવંદના કરવાનું તમારું લક્ષ્ય શું છે ? તમારું લક્ષ્ય નિર્ધારત હોવું જોઈએ અને એ અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા માટે તમારો પુરુષાર્થ હોવો જોઈએ. જે કોઈ ધર્મક્રિયા તમે કરો તે પહેલાંથી તમારે લક્ષ્ય નિર્ધારિત કરી લેવું જોઈએ. ઉચિત જીવનવ્યવહારમાં આ વાત વિશેષ મહત્ત્વ ધરાવે છે. માત્ર ધર્મના વિષયમાં જ નહીં, સંસારનાં કાર્યોમાં પણ તમારે પરિણામનો વિચાર તો કરવો જોઈએ, તો જ તમારી જીવનયાત્રા સારી રીતે ચાલી શકશે. માની લો કે એક વ્યક્તિમાં લક્ષ્ય નિર્ધારિત કરવા જેટલી બુદ્ધિ નથી, તો તેણે સદ્ગુરુનો સહારો લઈને તે જેમ કહે તેવી રીતે લક્ષ્ય નિશ્ચિત કરવું જોઈએ ! ઉપસંહાર : આ રીતે “ચૈત્યવંદન કરવાના અધિકારના વિષયમાં ત્રણ વિશિષ્ટ ગુણોની ચર્ચા કરી. તાત્પર્ય એ છે કે ગુણવાન વ્યક્તિ જ ધર્માનુષ્ઠાનની અધિકારી છે. પ્રસ્તુતમાં "ચૈત્યવંદન”ની વાત હોવાથી એ ધર્મક્રિયામાં આવશ્યક અને સહાયક ત્રણ ગુણ બતાવવામાં આવ્યા. એ રીતે બીજી ધર્મક્રિયાઓમાં પણ ગુણોની આવશ્યકતા સમજવાની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy