SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫ ભાગ - ૨ - જે માણસ પોતાના રોગની ભયંકરતા સમજે છે તેને ઔષધની કેવી જરૂર છે, એ વાત કોઈ કૅન્સરના દરદીને જઈને પૂછો, કોઈ ક્ષયના દરદીને પૂછો, કોઈ દ્ધયરોગના દરદીને પૂછો. અને જે બાળક પોતાના રોગની ભયાનકતા નથી સમજતું તે દવા કેવી રીતે લે છે તે જોવું મુખ બગાડશે, રડશે, દવા ફેંકી દેશે, કારણ કે તેને દવાની કોઈ ગરજ નથી ! તે પોતાના રોગને સમજતો નથી. આ જ રીતે જે માણસ પોતાના આત્માને લાગેલાં અનંત કમની ભયંકરતા સમજતો નથી, કર્મોના વિપાકને સમજતો નથી, તે નાના બાળક જેવી વાત કરે છે. તે ધર્મ સાથે તેવો જ વ્યવહાર કરશે, જેવો બાળક ઔષધ સાથે વ્યવહાર કરે એટલા માટે ગુરુજનોએ પહેલું કામ ધર્મ આપવાનું ન કરવું જોઈએ. પહેલું કામ તો જીવોમાં ધર્મની ઈચ્છા-જરૂર પેદા કરવાનું કરવું જોઈએ. તેમને ગળે પહેલાં તો આ વાત ઉતારવી જોઈએ કે "તમારા સર્વ દુઃખોનું મૂળ તમે બાંધેલાં પાપકર્મો છે, એ પાપકર્મો જ્યાં સુધી નષ્ટ નહીં થાય ત્યાં સુધી તમારે દુઃખ ભોગવવાં જ પડશે. ત્રાસ સહન કરવો જ પડશે.” ત્યારે કદાચ એમ કહે કે : "એ પાપ દૂર કરવાનો ઉપાય બતાવવાની કૃપા કરો.” તે પછી તમે એને “ધર્મનો ઉપાય બતાવો. "ધર્મના પ્રભાવથી કર્મોનો નાશ થઈ શકે છે,” એ વાત અનેક તર્ક અને અનેક દ્રષ્ટાંતોથી સમજાવો. તેમના મનમાં ધર્મની ગરજ ઉત્પન્ન થશે. તેઓ શ્રદ્ધાથી, પ્રેમથી અને વિધિસહિત ધર્મની આરાધના કરશે. ધર્મ-આરાધના કરવાનું સામર્થ્ય જોઈએ: ધર્મનો સ્વીકાર કરવાની, ધર્મનું પાલન કરવાની અભિલાષા મનમાં પેદા થવા છતાં પણ જો ધર્મપાલન કરવાનું સામર્થ્ય ન હોય તો માણસ ધર્મ-આરાધના કરી શકતો નથી. સામર્થ્ય બે પ્રકારનું હોવું જોઈએ - માનસિક અને શારીરિક, માનસિક અને કાયિક શક્તિ હોવાથી મનુષ્ય વિશિષ્ટ ધર્મપુરુષાર્થ કરી શકે છે, ધર્મ-આરાધનામાં આવનારાં વિપ્નો ઉપર વિજય મેળવી શકે છે, ઉપસર્ગો આવતાં નિર્ભય થઈ સમતાભાવથી સહન કરી શકે છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પ્રમુખ ૧૦શિષ્યોમાં કામદેવનું નામ આવે છે. તમે કદાચ કામદેવનો વૃત્તાંત નહીં સાંભળ્યો હોય. સભામાંથી નથી સાંભળ્યું, દશે શ્રાવકોનાં વૃત્તાંતો-જીવનચરિત્રો સાંભળ્યાં જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy