SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વકજીવન દેવપ્રસાદનું અંતરાય કર્મ તમારા ત્રણે માટે દુઃખનું નિમિત્ત બન્યું છે. તમે ચારે જણાંએ સમૂહમાં અંતરાય કર્મ બાંધ્યું હતું ને ? એટલા માટે જ્યાં સુધી તમારા ચારેમાંથી કોઈ એકનું પણ અંતરાય કર્મ બાકી રહેશે ત્યાં સુધી ચારે જણાએ દુઃખ ભોગવવું પડશે. ૩૬ અવધિજ્ઞાની મહર્ષિનાં વચન સાંભળીને ચારેને પૂર્વજન્મોની સ્મૃતિ થઈ ગઈ. શિવદત્ત મંત્રીએ કહ્યું : “ભગવંત, આપે અમારા જે ભવ બતાવ્યા તે સત્ય છે. અમને પૂર્વજન્મોની સ્મૃતિ થઈ ગઈ છે, અમે અમારા પૂર્વજન્મોને જોઈ રહ્યા છીએ. હવે દેવપ્રસાદનાં જે કર્મો શેષ છે, એ કર્મોનો નાશ કરવા માટે શું કરવું એ બતાવવાની કૃપા કરો.” "મહાનુભાવ ! સમવસરણમાં અરિહંત પરમાત્માનું ધ્યાન કરો. આ ધ્યાન સંપૂર્ણ કર્મવૃક્ષોને મૂળસહિત ઉખાડી નાખવા માટે પ્રચંડ વાયુ સમાન છે. અવધિજ્ઞાની મહર્ષિએ એમને સમવસરણનું ધ્યાન કરવાની પદ્ધતિ બતાવી, જે હમણાં જ મેં તમને બતાવી. દેવપ્રસાદે ઊભા થઈને કહ્યું : ‘ભગવંત, મને શ્રાવક ધર્મ પ્રદાન કરો, હું આપના નિર્દેશ અનુસાર ધ્યાન કરીશ.” ધ્યાનના પ્રભાવથી દેવપ્રસાદનું અંતરાય કર્મ તૂટી ગયું. શિવદત્ત રાજાને પ્રિય થઈ પડ્યો. રાજા પાસેથી સન્માન પ્રાપ્ત કર્યું, સમૃદ્ધિ મળી, જીવનના ઉત્તરાર્ધમાં ચારે વિરક્ત બની ગયાં, દીક્ષા અંગીકાર કરી લીધી અને તેમનું સમાધિ મૃત્યુ થાય છે. ચારે જીવ ‘સનત્કુમાર’ નામના દેવલોકમાં ઉત્પન્ન થાય છે. દેવપ્રસાદનો જીવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં "સોમ” નામે રાજકુમા૨ તરીકે જન્મે છે. યૌવનકાળે ચંપકમાલા નામે રાજકન્યા સાથે લગ્ન કરે છે અને પછી રાજા બને છે. રાણી અને પુત્રનું મૃત્યુ થતાં તે વૈરાગી બની જાય છે. ભગવાન પાર્શ્વનાથનો એ સમય હતો. સોમ રાજા ૫૦૦ રાજકુમારો સાથે ભગવાન પાર્શ્વનાથ પાસે આવીને દીક્ષા લે છે. ભગવાન પાર્શ્વનાથના તેઓ પાંચમા ગણધર બને છે. સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષ પામે છે. સમવસરણમાં અરિહંત પરમાત્માનું ધ્યાન ધરવાથી દુઃખ દૂર થાય છે, મળે છે, યશ-કીર્તિ ફેલાય છે અને મનુષ્ય કર્મક્ષય કરીને મુક્તિ પામે છે. સુખ પંચ પરમેષ્ઠી ભગવંતોની આ જ શ્રેષ્ઠતા છે. શ્રેષ્ઠ છે એટલે તો આપણા ઈષ્ટ છે - પરમ ઈષ્ટ છે. પરમ ઈષ્ટ પંચ પરમેષ્ઠી ભગવંતોનું સ્મરણ સવારે ઊઠતાંની સાથે જ કરવું જોઈએ. “નમો અરિહંતાળું” બોલતાં જ જાગવું જોઈએ. જાગતાંની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy