SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૨ ૩૫ હતો. એક વાર શિવદત્તની ભૂલ થઈ ગઈ તેથી રાજાએ તેને અપમાનિત કર્યો અને મંત્રીપદેથી દૂર કર્યો. રાજાએ શિવદત્તની સંપત્તિ પણ પડાવી લીધી. શિવદત્ત દરિદ્ર થઈ ગયો. મંત્રી, મંત્રીપત્ની, મંત્રીપુત્ર અને પુત્રવધૂ - પરિવારમાં આ ચાર વ્યક્તિઓ હતી. બધાં દુઃખી થઈ ગયાં. કેટલાંક વર્ષો પછી એ નગરમાં એક અવધિજ્ઞાની' મહર્ષિ પધાર્યા. શિવદત્ત પરિવાર સાથે તેમનો ઉપદેશ સાંભળવા ગયો. ઉપદેશ સાંભળ્યા પછી શિવદત્તે મહર્ષિને વંદના કરીને પ્રશ્ન પૂછ્યો : "ભગવંત પૂર્વજન્મમાં મેં અને મારા પરિવારે એવાં કયાં પાપકર્મો કર્યાં છે કે જેને કા૨ણે હું-અમે આ જન્મમાં ઘોર દરિદ્રતા ભોગવીએ છીએ ?” અવધિજ્ઞાની મહર્ષિએ કહ્યું : “મહાનુભાવ, તારો આ પુત્ર દેવપ્રસાદ છે તેણે પૂર્વજન્મમાં એક સાર્થવાહનો વિશ્વાસઘાત કર્યો હતો. સાર્થવાહ પાસે ઘણાં બધાં મૂલ્યવાન રત્નો હતાં. દેવપ્રસાદના જીવે એ રત્નો મેળવવાના લોભથી સાર્થવાહને મૂર્છિત કરી દીધો અને કપટ કરીને બધાં રત્નો લઈ લીધાં. એ સમયે તેના પરિવારમાં તમે ત્રણે હતાં. તમે ત્રણે જણાંએ એ કપટની-ચોરીની પ્રશંસા કરી. અને એ રત્નોથી સુખનાં ઘણાં સાધનો પ્રાપ્ત કરીને સાથે રહી ઉપભોગ કર્યો. તમે ચારે જણાંએ ઘોર અંતરાય કર્મ બાંધી લીધું. અનીતિથી, અન્યાયથી અને છલકપટ તેમજ ચોરીથી ધનપ્રાપ્તિ કરનાર મનુષ્ય પ્રગાઢ લાભાન્તરાય કર્મ બાંધે છે. જ્યારે તે કર્મ ઉદયમાં આવે છે ત્યારે જીવ અતિ દરિદ્રી બની જાય છે - નિર્ધન બની જાય છે. તમે ચારે મૃત્યુ પામ્યાં અને પશુયોનિમાં તમારો જન્મ થયો. પશુજીવનમાં પણ તમે ખૂબ દુઃખી બન્યાં. ઘણાં કષ્ટો સહન કર્યાં અને મૃત્યુ પામ્યાં. મરીને તમે ચારે જણાં મનુષ્ય બન્યાં. મનુષ્યજીવનમાં પણ ઘણાં કષ્ટો સહન કર્યા. સંપૂર્ણ જીવન દુઃખમય બની ગયું. પરંતુ દુઃખોથી કંટાળીને શ્વાસ રુંધીને તમે ચારે જણાએ આત્મહત્યા કરી દીધી. મરીને ચારે જણાં વ્યંતરલોકમાં ઉત્પન્ન થયાં. એ જન્મમાં તમે ઘણા લાંબા સમય સુધી સુખ ભોગવ્યાં. આયુષ્ય પૂર્ણ થતાં ફરીથી તમારો જન્મ મનુષ્યયોનિમાં થયો. મનુષ્યજીવનમાં સદ્ગુરુનો સંયોગ મળ્યો. તમે ચારેએ દીક્ષા લીધી. આ દેવપ્રસાદના જીવ સિવાય તમે ત્રણેએ તપશ્ચર્યા કરી અને ઘણાં પાપકર્મોનો ક્ષય કરી નાખ્યો. દેવપ્રસાદનો આત્મા સંક્લિષ્ટ હોવાથી તેના કર્મનો ક્ષય ન થયો. છતાં પણ સાધુધર્મના પાલનથી તેનું સમાધિ મૃત્યુ થયું. મરીને તમે ચારે અહીં આ નગરમાં જન્મ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy