SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ શ્રાવકજીવન - બેસવું. – સુખાસન યા પદ્માસન લગાવીને બેસવું. પૂર્વ દિશા સન્મુખ યા ઉત્તર દિશા સન્મુખ બેસવું. - શરીરને સ્થિર કરવું, મૌન ધારણ કરવું અને મનને વિચારમુક્ત કરવું. – નાસિકાના અગ્ર ભાગે વૃષ્ટિને સ્થિર કરવી. - શ્વાસ-નિશ્વાસ મંદ કરવા, પ્રમાદનો ત્યાગ કરવો. – “સર્વ જીવો મારા મિત્રો છે. મારા અપરાધોને માફ કરો” એવી પ્રાર્થના કરવી. - પરમ ગુરુદેવ ગૌતમ સ્વામીનું સ્મરણ કરવું અને ભાવવંદના કરવી. સમવસરણની રચનાની કલ્પના કરવી : - વાયુકુમાર દેવ આવે છે અને ભૂમિશુદ્ધિ કરે છે. – મેઘકુમાર દેવ આવે છે અને સુગંધી જળનો છંટકાવ કરે છે. – ઋતુદેવતા પુષ્પવૃષ્ટિ કરે છે. -- એ ભૂમિ ઉપર ભવનપતિ દેવ અને જ્યોતિષદેવ રજતના, સુવર્ણના અને રત્નના ત્રણ ગઢ બનાવીને સમવસરણની રચના કરે છે. - પાદપીઠ, ત્રણ છત્રો અને ભામંડળ સહિત સિંહાસનની સ્થાપના કરે છે. સમવસરણ ઉપર અશોકવૃક્ષની છાયા હોય છે. - એ સમવસરણ ચક્રધ્વજ, સિંહધ્વજ, ધર્મધ્વજ અને ધ્વજ૫ટથી શોભાયમાન વ્યંતરદેવ સુવર્ણ કમળોની રચના કરે છે, અરિહંત પરમાત્મા એ કમળો ઉપર ચાલે છે. – અરિહંત પરમાત્મા આવે છે, તેમની આગળ આગળ ધૂપઘટાઓ ફેલાય છે. દેવસમૂહ જય-જયકાર કરે છે. ઈન્દ્ર માર્ગમાંથી લોકોને દૂર કરે છે, દેવો વાદ્યો વગાડે છે. - સમવસરણના પૂર્વ ધારેથી પરમાત્મા પ્રવેશ કરે છે અને પૂર્વ દિશા સન્મુખ સિંહાસન ઉપર બેસે છે. – ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમમાં દેવો પરમાત્માનાં ત્રણ પ્રતિબિંબ સ્થાપિત કરે છે કે જે સાક્ષાત્ પરમાત્મા જ દેખાય છે. - રત્નજડિત દંડવાળા ચામરોથી ઇન્દ્ર હર્ષિત થઈને પરમાત્માની ભક્તિ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy