SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ न हु किंचि तस्स पहवइ डाइणि-वेयाल - रकख - मारिभयं । य सयलदुरियाई नवकारपभावेण नासंति II ‘શ્રી નવકાર મહામંત્રના પ્રભાવથી ડાકિની, વૈતાલ, રાક્ષસ, રોગ-ભય વગેરે કશું કરી શકતા નથી અને સર્વ પાપો નષ્ટ થાય છે.’ પંચ પરમેષ્ઠી-નમસ્કાર મહામંત્રના ચિંતન-સ્મરણ કરવા માત્રથી પાણીનું પૂર અટકી જાય છે, આગ થંભી જાય છે. શત્રુ, રોગ, ચોર અને રાજાઓના ઘોર ઉપદ્રવો નષ્ટ થઈ જાય છે. અહીંતહીં ભટકવાની જરૂર નથી. દુઃખ દૂર ક૨વાનો આ સર્વોત્તમ ઉપાય છે. અનુભવ કરીને જોજો, ત્યારે આ પંચ પરમેષ્ઠી પ્રિય જ નહીં પરમ પ્રિય બની જશે. શ્રાવકજીવન રોગને નષ્ટ કરવાની શક્તિ પણ આ નમસ્કાર મહામંત્રમાં છે. એક મહર્ષિએ કહ્યું છે : 1 जापाज्जयेत्क्षयमरोचकमग्निमान्द्यं कुष्ठोदराम - कसन - श्वसनादि- रोगान् प्राप्नोति चाऽप्रतिमवाग् महतीं महद्भ्यः पूजां परम च गतिं पुरुषोत्तमाप्ताम् ॥ "શ્રી નમસ્કાર મહામંત્રના પ્રભાવથી, તેના જાપથી ક્ષયરોગ, અન્ન અરુચિ, અપચન, કુષ્ઠરોગ, આમરોગ, શ્વાસ, ખાંસી વગેરે રોગ નષ્ટ થઈ જાય છે. આ મહામંત્રનો જાપ કરનારા મનુષ્યને અપ્રતિમ વચનશક્તિ પ્રાપ્ત થાય છે. તે મહાપુરુષોનો પણ પૂજ્ય બની જાય છે અને પરલોકમાં પરમગતિ-મોક્ષ પામે છે કે જેને પુરુષોત્તમ એવા તીર્થંકર-ગણધરોએ પ્રાપ્ત કરી છે.” કહેવાનું તાત્પર્ય એ છે કે પંચ પરમેષ્ઠી નમસ્કાર દુઃખ દૂર કરે છે, સુખ આપે છે, યશનો વિસ્તાર કરે છે અને ભવસાગરમાંથી પાર ઉતારે છે. ઇહલૌકિક અને પારલૌકિક સર્વ સુખોનો મૂળ આધાર આ નમસ્કાર મહામંત્ર છે. પંચ પરમેષ્ઠી ભગવંતોનું સ્મરણ અને ચિંતન કરવાનું છે. કરો છો ને પંચ પરમેષ્ઠી ભગવંતોનું સ્મરણ-ચિંતન ? જ્યારે તમે એમની શ્રેષ્ઠતા જાણશો ત્યારે એ પંચ પરમેષ્ઠી ભગવંતો તમારા હૃદયને પરમ પ્રિય બની જશે; ત્યારે સ્વતઃ તેમનું સ્મરણ-ચિંતન ચાલશે - ચાલતું રહેશે, તમારે સ્મરણ કરવું નહીં પડે. જે પરમ પ્રિય હોય છે તેની સ્મૃતિ પ્રગાઢ સ્મૃતિ બની જ જાય છે. Jain Education International પંચ પરમેષ્ઠીઓનું સ્વરૂપ ઃ સભામાંથી અમને પંચ પરમેષ્ઠી ભગવંતોના સ્વરૂપનું જ્ઞાન જ નથી તો તેમનું : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy