SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૨૬૩ વૃદ્ધિ જોવામાં આવી. જે શ્વાસરોગના આક્રમણથી બચવામાં સહાયક થાય છે. આ ક્રિયા-પ્રતિક્રિયાની પુષ્ટિ ભલેને ન થઈ શકે પણ કેટલાક સંશોધન-કર્તાઓને માન્ય છે કે અન્ય લોકો પ્રત્યે તમારા ચલણનો, તમારા હ્દયરોગથી ગ્રસ્ત થવાની આશંકા ઉપર અદ્ભુત પ્રભાવ પડે છે. શું તમે જાણો છો કે વેરભાવ, હૃદયરોગના જોખમને વધારી દે છે ? ક્રોધિત હૃદય” સંબંધી આ નવી જાણકારી ઉપર સાઉથ ફ્લોરિડા વિશ્વવિદ્યાલયના મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પીલબર્ગરે આગળ શોધ ચાલુ રાખી છે. અનુસંધાન પહેલાં જ આ સિદ્ધ થઈ ચૂક્યું હતું કે ઉતાવળમાં, નિરંતર પ્રતિસ્પર્ધાના વાતાવરણમાં સતત કામ કરનારા “એ” વર્ગના લોકોમાં હ્રદયરોગથી ગ્રસ્ત થવાની સંભાવના વધારે હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે - છૂપો ક્રોધ, ચીડિયાપણું તથા આક્રમક સ્પર્ધાત્મકતા જ હ્દયરોગની સંભાવના વધારે છે. અનુકંપા-દયાનો ભાવ તમારા હૃદયને શાન્ત, સ્વસ્થ અને કરુણાવંત બનાવે છે. તમારા હૃદયમાં દ્વેષ અને વેરની ભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે. એનાથી હ્દયરોગની સંભાવના નષ્ટપ્રાયઃ થઈ જાય છે. ડ્યૂક વિશ્વવિદ્યાલયના આયુર્વિજ્ઞાન કેન્દ્રના વિશેષજ્ઞ રેડકોર્ડ વિલિયમ્સ એક અધ્યયન ઉપરથી એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે જે વ્યક્તિમાં જેટલો વધારે દ્વેષ હોય છે, તેની હૃદય-ધમનીઓ એટલી જ અધિક અવરુદ્ધ થઈ જાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કાર્યરત ડૉ. આર્નિશ રોગી લોકોને બીજાંની ભલાઈ ક૨વા માટે પ્રોત્સાહિત કરતા હતા. એ નિર્વિવાદ સત્ય છે કે પરોપકાર, અનુકંપા, દયા વગેરે મંગલકારી છે. પાડોશીને, બીજાંને મદદ કરવી તેમના હિતમાં તો છે જ પણ તે આપણા ય હિતમાં છે ! અનુકંપા કરવાથી આપણને એવી અપાર્થિવ અનુભૂતિ થાય છે કે મનનું તમામ પાપ ધોવાઈ જાય છે. અનુકંપામાં પ્રેમ અને ક્ષમાશીલતા જોઈએ : અનુકંપા કરવામાં એક ભયસ્થાન એ હોય છે કે જે દુઃખી માણસને આપણે અનુકંપા-દાન કરીએ છીએ, તે આપણી સાથે યા બીજાં સાથે સારો વ્યવહાર નથી રાખતો અને કડવા શબ્દોનો પ્રયોગ કરે છે. કોઈ વાર અંદર-અંદર ઝઘડા-લડાઈ કરે છે ત્યારે આપણા મનમાં દ્વેષ આવી જાય છે. "આપણે આવા લોકોને દાન ન આપ્યું હોત તો સારું થાત,” એવી દુર્ભાવના જાગી ઊઠે છે - જો કે ન જાગવી જોઈએ. જો તમારા હૃદયમાં એ દુઃખી આત્માઓ પ્રત્યે પ્રેમ હશે તો તમે ક્ષમા આપશો ! પ્રેમ જ માનવીને ક્ષમાશીલ બનાવે છે. જેમ માતાને પોતાના બાળક ઉપર પ્રેમ હોય છે તો બાળક ગમે તેટલા અપરાધો કરે તો પણ મા એને ક્ષમા કરી દે છે. માતાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy