SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન : ૪૪ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત "ધર્મબંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનના વિષયમાં વિશદ માર્ગદર્શન આપ્યું છે. જો તમે લોકો એ માર્ગદર્શન અનુસાર પોતાનું જીવન વીતાવવાનો પુરુષાર્થ ક૨શો તો તમારું જીવન ધન્ય બની જશે, એટલું જ નહીં જિનશાસનની પણ ભવ્ય ઉન્નતિ થવા લાગશે. પરંતુ સૌથી વધારે મુશ્કેલ કામ છે જીવનપરિવર્તનનું ! ભોજનનું પરિવર્તન, વસ્ત્રનું પરિવર્તન, ઘરનું પરિવર્તન... સુલભ છે. જીવનપરિવર્તન કરવું મુશ્કેલ છે ! પરંતુ એ કર્યા સિવાય મોક્ષમાર્ગની આરાધના ય સંભવિત નથી. તમારે તમારા વિચારોમાં પરિવર્તન લાવવું પડશે. તમારે તમારા પારિવારિક અને સામાજિક વ્યવહારોમાં પરિવર્તન લાવવું પડશે. તમારે દર્શન, શ્રવણ અને વાચનમાં પિરવર્તન લાવવું પડશે. આ તમામ પરિવર્તનો જિનવચન અનુસાર લાવવાં પડશે. જીવન દરેક દૃષ્ટિથી શ્રેષ્ઠ બની જશે. મહાન પુણ્યના ઉદયથી જ્યારે મનુષ્યજીવન મળ્યું છે, તો પછી શ્રેષ્ઠ જીવન કેમ ન જીવવું ? એક વાત સમજી લેવી કે માત્ર પૈસાથી, વૈભવ-સંપત્તિથી શ્રેષ્ઠ જીવન નથી જીવી શકાતું. તમારી પાસે કેટલો વૈભવ છે, એના ઉપરથી શ્રેષ્ઠ જીવનનું પ્રમાણપત્ર નથી અપાતું. તમને કેટલી શાન્તિ છે, સમતા છે, પ્રસન્નતા છે, એની ઉપર શ્રેષ્ઠ જીવન નિર્ભર છે. આ ગ્રંથમાં શ્રેષ્ઠ જીવન જીવવાની જે રીત બતાવવામાં આવી છે, તે જો તમે પસંદ કરો અને એવું જીવન જીવવા માટે પુરુષાર્થ કરો, તો આ જીવનમાં શાન્તિ, સમતા અને પ્રસન્નતાનો મધુ૨ અનુભવ કરી શકો છો. તમારી પાસે પૈસા વધુ હોય કે ઓછા હોય, તમારું ઘર નાનું હોય કે મોટું હોય. તમારો વ્યવસાય નાનો હોય કે મોટો હોય, એ વાતોનું કોઈ મહત્ત્વ નથી. જો તમે સાચા અર્થમાં શ્રાવક બનશો તો તમે સદૈવ પ્રસન્નતાનો અનુભવ કરશો. શાન્તિ, સમતા અને પવિત્રતા તમારા મુખમંડળ ઉપર છવાયેલાં રહેશે. શ્રીમંત બનવા દુનિયાની દોડમાં દોડતા ન રહો. આ દોડમાંથી બહાર નીકળી જાઓ. ભાગ્ય ઉપર ભરોસો રાખો. જેટલો અર્થપુરુષાર્થ જરૂરી હોય તેટલો જ કરો. જીવનપરિવર્તન પ્રત્યે તમારું ધ્યાન કેન્દ્રિત કરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy