SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ હતા. આ વાત અનેક ગ્રંથોમાં આવે છે. એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ તીર્થ મગધ દેશબિહાર)ની આજુબાજુમાં હોવું જોઈએ. ભગવાન ઋષભદેવ પણ તેમનો નિવણિ કાળ અને નિર્વાણ ભૂમિને જાણીને અયોધ્યાથી વિહાર કરીને અષ્ટાપદ પર્વત ઉપર ગયા હતા. આ વાત ઉપરથી એ અનુમાન પુષ્ટ થાય છે કે અષ્ટાપદ મગધ દેશની પાસે અયોધ્યાની નજીક હોવું જોઈએ. મગધ અને અયોધ્યાની પાસે અત્યારે તો હિમાલય છે! બીજો કોઈ ૩૨ ગાઉં ઊંચો પર્વત એ પ્રદેશમાં નથી. ભગવાન ઋષભદેવનું નિવણ અષ્ટાપદ પર્વત ઉપર થયું. તેમના પુત્ર ભરત ચક્રવર્તીએ પિતા અને પરમાત્માની સ્મૃતિમાં ત્યાં "સિંહનિષદ્યા” નામનો અતિ ભવ્ય પ્રાસાદ (ચેત્ય) બનાવ્યો. સુવર્ણનું મંદિર બનાવ્યું. તેમાં ભગવાન ઋષભદેવથી માંડીને ભગવાન મહાવીર સ્વામી સુધીના ૨૪ તીર્થકર ભગવંતોની રત્નમય પ્રતિમાઓ બનાવીને સ્થાપિત કરી. પ્રત્યેક તીર્થંકરના દેહમાન - Hight and body • ના પ્રમાણવાળી પ્રતિમાઓ બનાવડાવી અને ચાર દિશામાં પ્રતિમાઓ સ્થાપિત કરાવી. - પૂર્વ દિશામાં ઋષભદેવ અને અજિતનાથની બે પ્રતિમાઓ. - દક્ષિણ દિશામાં સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ અને પપ્રભની ચાર પ્રતિમાઓ. - પશ્ચિમ દિશામાં સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભ, સુવિધિનાથ, શિતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ અને અનંતનાથની આઠ પ્રતિમાઓ અને ઉત્તર દિશામાં ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લીનાથ, મુનિસુવ્રત, નમિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની દશ પ્રતિમાઓ સ્થાપિત કરી. તમારે લોકોએ અષ્ટાપદ તીર્થની આ પ્રકારે કલ્પના કરવી. કલ્પના કરીને ૨૪ તીર્થકર ભગવંતોનાં દર્શન-વંદન કરવાં. વિશેષ રૂપે ભગવાન ઋષભદેવની સ્તુતિપ્રાર્થના કરવી. કારણ કે આ ઋષભદેવ ભગવાનની નિવણિ ભૂમિ છે-કલ્યાણક ભૂમિ છે. ખૂબ જ પવિત્ર અને પ્રભાવક ભૂમિ છે. મનથી-હ્મયથી એ ભૂમિની સ્પર્શના કરવી. શત્રુંજય તીર્થને ભાવવંદના કરવીઃ આના પછી શત્રુંજય તીર્થની ભાવવંદના કરવાની છે. તમે લોકોએ સૌરાષ્ટ્રમાં આવેલા આ તીર્થની યાત્રા તો કરી છે ને? પાલીતાણા ગયા છો ને? જો ન ગયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy