SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ શ્રાવકજીવન યોજનના વિસ્તારવાળો છે. તેની ચારે બાજુ ક્ષીરવર સમુદ્ર છે, જે ૪૧૨ યોજન વિસ્તૃત છે. તેની પછી વૃતવર દ્વીપ, જે૮૨૪ લાખ યોજન વિસ્તૃત છે. તેની ચારે બાજુ વૃતવર સમુદ્ર છે, જે ૧૬૪૮ લાખ યોજન વિસ્તૃત છે. તેની પછી ઈક્ષદ્વીપ છે, જે ૩૨૯૬ લાખ યોજન વિસ્તૃત છે. તેની ચારે કોર ઈસુ સમુદ્ર છે, જે ૫૯૨ લાખ યોજન વિસ્તૃત છે. આની પછી નંદીશ્વર દ્વીપ આવેલો છે. તે દ્વીપ ૧૩,૧૮૪ લાખ યોજનના વિસ્તારનો છે. એટલે એનો ઘેરાવો ૧,૬૩,૮૪,૦૦,૦૦૦ યોજનાનો છે.. આ નંદીશ્વર દ્વીપના મધ્યમાં ચારે દિશાઓમાં ચાર “અંજનગિરિ નામના પર્વતો છે. પૂર્વ દિશામાં "દેવરમણ” નામનો અંજનગિરિ છે. દક્ષિણમાં "નિત્યોદ્યોત” નામનો અંજનગિરિ છે. પશ્ચિમમાં “સ્વયંપ્રભ” નામનો અને ઉત્તરમાં "રમણીય” નામનો અંજનગિરિ છે. આ ચારે પર્વતો ઉપર એક-એક વિશાળ મંદિર છે. ચાર અંજનગિરિની ચારે દિશાઓમાં એક-એક લાખ યોજન દૂર ચાર-ચાર વાવડીઓ છે એટલે કે ૧૬ વાવડીઓ છે. દરેક વાવડીની વચ્ચે એક-એક પહાડ છે. “દધિમુખ’ નામના ૧૬ પહાડ છે. દરેક પહાડ ઉપર ૧-૧ જિનમંદિર છે. - ચાર અંજનગિરિનાં ચાર જિનમંદિરો અને ૧૬ દધિમુખ પહાડો ઉપર ૧૬ જિનમંદિરો, કુલ ૨૦ જિનમંદિરો છે. આ જિનમંદિરો ચાર દરવાજાવાળાં હોય છે. ૧00 યોજન લાંબા, ૫૦ યોજન પહોળા અને ૭૨ યોજન ઊંચાં હોય છે. નંદીશ્વર દ્વીપની ચાર વિદિશાઓમાં ચાર “રતિકર નામના પહાડો છે. આ ચાર પહાડો ઉપર ચાર જિનચૈત્ય છે. આ પહાડ ૧૦,૦00 યોજન લાંબા અને ૧૦,૦૦૦ યોજન પહોળા હોય છે. ૧૦00 યોજન ઊંચા અને ૨૫૦ યોજન ઊંડા હોય છે. આ રીતે નંદીશ્વર દ્વીપની ઉપર ૨૪ જિનચૈત્યો છે. બીજી માન્યતા અનુસાર નંદીશ્વર દ્વીપ ઉપર પર જિનચૈત્યો છે. આ નંદીશ્વર તીર્થ, વિશેષ રૂપે દેવોનું તીર્થ છે. દેવલોકનાં દેવ-દેવીઓ ત્યાં આવે છે અને પરમાત્માની ભક્તિ કરે છે. વિદ્યાધર મનુષ્યો પણ ત્યાં આવે છે. આપણે ત્યાં જઈ શકતા નથી, પરંતુ માનસિક યાત્રા કરી શકીએ છીએ ! કલ્પનાથી ત્યાં જવું, માનસયાત્રા ખૂબ મહત્ત્વ ધરાવે છે. અષ્ટાપદ તીર્થ : બીજી માનસયાત્રા કરવાની છે અાપદ તીર્થની. કેટલાંક વર્ષોથી આ તીર્થ અદ્રશ્ય છે. પરંતુ ભગવાન મહાવીરના સમયમાં શ્રી ગૌતમસ્વામી પગે ચાલીને અષ્ટાપદ તીર્થની તળેટીમાં ગયા હતા અને સૂર્યકિરણો પકડીને પહાડ ઉપર ગયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy