SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ (પ્રવચન : ૪૨) પરમ કૃપાનિધિ, મહાન કૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત "ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનનાં વ્રત બતાવે છે અને તેમાં દૈનિક જીવનચય બતાવી છે. દૈનિક જીવનચર્યામાં એક મહત્ત્વપૂર્ણ કર્તવ્ય બતાવ્યું છે: “શાસનાતિવાર ” જિનશાસનની ઉન્નતિ કરવી. એટલે કે જિનવચનોનું પોતાના જીવનમાં એ રીતે પાલન કરવું કે બીજા લોકો પણ જિનશાસનના અનુરાગી બને. જિનશાસનનું ગૌરવ વધતું જાય. જિનશાસનની ઉન્નતિની સાત વાતો ગ્રંથમાં બતાવી છે. એમાંથી ૧. સમ્યગુ-ન્યાયપૂર્ણ વ્યવહાર અને ૨. યથોચિત વિનય - આ બે વાતો તમને બતાવી દીધી. આજે ત્રીજી વાત બતાવવાની છે. ત્રીજી વાત ખૂબ મહત્ત્વપૂર્ણ છે ? दीनानाथाभ्युद्धरणम् । દીન અને અનાથ જીવોનું અભ્યર્ધારણ કરવાનું છે. અભ્યરણ એટલે ઉદ્ધાર કરવો. સાચા અર્થમાં ઉદ્ધાર કરવો એ અભ્યારણ છે. જે જીવ દીન છે, અનાથ છે, તેનો ઉદ્ધાર કરવાનો છે. દીનતામાંથી તેને મુક્ત કરવાનો છે. અનાથતાનો બોધ દૂર કરવાનો છે. એક વાત ધ્યાનથી સાંભળોઃ દીન અને અનાથોને પાંચ-પચ્ચીસ યા સો-બસો રૂપિયા આપીને "ઉદ્ધાર” કરવાનો મિથ્યા પ્રયાસ કરવાનો નથી. પૈસા આપીને તમે લોકો ઉદ્ધાર કરવાનું આશ્વાસન લઈ લો છો એ ખોટું છે. સૌ પ્રથમ તમારે વિચારવાનું છે કે આ મનુષ્ય કઈ વાતની દીનતા અનુભવે છે. કઈ વાતને લીધે તે નિરાશામાં ડૂળ્યો છે. શા માટે પુરુષાર્થ છોડીને એકાન્ત ભાગમાં જઈને બેઠો છે. તે કઈ દુર્ઘટનાનો ભોગ બન્યો છે - આ બધું વિચારવું પડશે. ત્યાર પછી જ તમે એ દીન માણસનો ઉદ્ધાર-સમુદ્ધાર કરી શકશો. દીનતાનાં અનેક કારણ? દીનતાનું કોઈ એક કારણ નથી હોતું. અનેક કારણો હોય છે. એમાંથી મુખ્ય કારણો આ છે : - અનેક ઔષધ-ઉપચારો કરવા છતાં રોગ મટતો નથી. - ખૂબ પુરુષાર્થ કરવા છતાં પણ અર્થ ઉપાર્જનમાં સફળતા નથી મળતી. – કોઈ નજીકની વ્યક્તિએ વિશ્વાસઘાત કર્યો હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy