SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૨૧૧ – કેટલાક પૂજકો ગભારામાં પરમાત્માની સામે એવી રીતે ઊભા હોય છે કે દર્શન કરનારાઓને દર્શન જ ન થાય. આ અવિનય છે. એમાં પણ "ડબલ બોડી” સ્ત્રી કે પુરુષ હોય ગભારામાં, તો ભગવાનનાં દર્શન જ ન થાય ! કોઈ વાર મંદિરમાં મોટી પૂજા થાય છે, ત્યારે પ્રભાવના આપવામાં આવે છે. પ્રભાવના કેવી રીતે આપવામાં આવે છે અને લેવામાં આવે છે, તે તમે જાણો છો ને? ત્યાં પુરુષ અને સ્ત્રીઓનું સંયુક્ત નૃત્ય થાય છે! ન લાઈનમાં ઊભા હોય છે, ન શાન્તિથી પ્રભાવના લેતા હોય છે ! બીજી કોમના લોકો હસે છે. મજાક ઉડાવે છે. જિનશાસનની નિંદા થાય છે. કોઈ કોઈ વાર લડાઈ-ઝઘડો પણ થઈ જાય છે ને ? શા માટે આવો અવિવેક કરો છો ? જ્યાં લોકો વિનયવિવેકથી પ્રભાવના ન લેતા હોય ત્યાં પ્રભાવના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. કેટલાક વર્ષોથી આપણા સમાજમાં પણ પુરુષો લુંગી પહેરવા લાગ્યાં છે. પહેલાં તો મુસલમાનો જ લુંગી પહેરતા હતા કે દક્ષિણ પ્રદેશના લોકો પહેરતા હતા. લુંગી પહેરીને મંદિરમાં જાય છે ! આ અવિનય છે. જે સ્થાનમાં જવું હોય ત્યાંની ઉચિત વેષભૂષા હોય તે જ વસ્ત્રો પહેરીને જવું જોઈએ. લુંગી પહેરીને મંદિરમાં ન જવું જોઈએ. એ રીતે સવારે ટેનિસ રમવા જાય છે તે લોકો નાની ચડ્ડી પહેરીને જાય છે. સારું છે કે હનુમાનના વેશમાં (લંગોટ પહેરીને) નથી જતા. એ લોકો મંદિરમાં પણ એ રીતે ચડ્ડી પહેરીને જાય છે. આપણાં મંદિરોમાં કોઈ નીતિ-નિયમ જેવું રહ્યું જ નથી. અવિનય અને અવિવેક વધતો જ રહ્યો છે. મહિલાઓની વેશભૂષાના વિષયમાં અહીં વાત કરવી હું પસંદ કરતો નથી. પરંતુ એ લજ્જાસ્પદ છે બધું. વિનયધર્મ વૈકાલિક છે : વિનયધર્મ સર્વ ધર્મસંપ્રદાયોમાં માન્ય ધર્મ છે. સૌ સમાજોમાં વિનય સ્વીકાર્ય છે. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ - ત્રણે કાળમાં વિનય સ્વીકૃત છે. આદિવાસી લોકોમાં પણ ક્યારેક વિનય જોવા મળે છે. વિનયથી જ મનુષ્યની યોગ્યતા જોવામાં આવે છે. લૌકિક વ્યવહારમાં પણ વિનયની મહત્તા માનવામાં આવી છે. છતાં પણ લોકોત્તર શાસનમાં વિનયની મહત્તા કેટલી છે તે વાત શું બતાવવાની હોય છે? ખાવાપીવામાં એટલે કે સ્વામિવાત્સલ્ય. નવકારશી ભોજન જેવા પ્રસંગોમાં શું તમે વિનયધર્મનું પાલન કરો છો? મૌન રહીને વિનયપૂર્વક ભોજન કરો છો? જગા નાની હોય અને તમે લોકો વધારે સંખ્યામાં હો તો ત્યાં વિનય-વિવેક રહે છે ? ધક્કામૂકી અને કોલાહલ નથી કરતા ને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy