SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૨ ૧૫૫ ત્યાંથી જમણી બાજુ વળી જો, આગળ પાણીની ટાંકી આવશે. પાસેની ગલીમાં વળી જજો. આગળ કબૂતરખાનાની પાસે કોઈને પૂછજો, ઉપાશ્રય બતાવી દેશે.” આટલું ભાષણ આપીને તે પણ પોતાને રસ્તે પડ્યો. અમે આગળ વધ્યા. પાણીની ટાંકી સુધી તો પહોંચી ગયા, પરંતુ ત્યાંથી બીજી ગલીમાં વળી ગયા. ચાલ્યા કર્યું. ઉપાશ્રય ન આવ્યો. એક ભાઈને પૂછ્યું : "જૈન ઉપાશ્રય ક્યાં છે ?” તેણે કહ્યું : “આપ ખોટી જગાએ આવી ગયા છો. પૂર્વ દિશાએ જાઓ. આગળ એક લીલા રંગનું મકાન આવશે. ત્યાંથી દક્ષિણ દિશામાં જજો. ત્યાં આપને જૈન દેરાસ૨ દેખાશે.” અમે દેરાસર ગયા, ચૈત્યવંદન કર્યું. પૂજારીને પૂછ્યું : "ઉપાશ્રય ક્યાં છે ?” તેણે કહ્યું : "ઉપાશ્રય તો ગામમાં દેરાસર છે તેની પાસે છે. અહીંથી એક કિલોમિટર......” પૂજારીની વાત સાંભળીને અમે એકબીજાનું મુખ જોવા લાગ્યા. ૧૬ કિલોમિટરનો વિહાર કરીને આવ્યા હતા. ગામમાં પણ બે-ત્રણ કિલોમિટર ચાલ્યા હોઈશું. અમે પૂજારીને કહ્યું : "ભૈયા, તમે ચાલીને અમને ઉપાશ્રય બતાવશો ?" પૂજારી સાથે આવ્યો અને ઉપાશ્રય બતાવ્યો, અમે સ્થાન ઉપ૨ પહોંચ્યા. જો સૌ પ્રથમ જે શ્રાવક મળ્યો હતો, તે અમારી સાથે આવ્યો હોત તો અમારે ભટકવું ન પડત ! એટલા માટે કોઈ પણ સાધુ-સાધ્વી તમને રસ્તો પૂછે તો, અથવા મંદિર-ઉપાશ્રય સંબંધી પૂછે તો તમારે સાથે ચાલીને બતાવવું જોઈએ. નજીકમાં હોય, રસ્તો સરળ હોય તો સમુચિત માર્ગદર્શન આપવું. એ રીતે અભ્યાગત સાધુઓ પ્રત્યે અમારું (સાધુઓનું) કર્તવ્ય હોય છે. અમારા સાધુ-સાધુઓનો વ્યવહાર પણ તમારે લોકોએ જાણવો જોઈએ. ખૂબ સારો વ્યવહાર શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યો છે. એક ઉદાહરણ બતાવું છું. " અમે એક ઉપાશ્રયમાં ઊતર્યા છીએ. ગોચરીના સમયે ગોચરી લઈ આવ્યા છીએ. ગોચરી કરવા બેસી પણ ગયા છીએ. હાથમાં પ્રથમ કોળિયો પણ લીધો છે. મુખમાં મૂકવાની વાર છે ત્યાં અભ્યાગત-પ્રાધૂર્ણક સાધુઓએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો અને એમનો અવાજ નીતિહિ નીતિહિ નમો ઘુમાસમાĪ' સંભળાયો. અમારે ભોજનનો કોળિયો મોઢામાં ન મૂકવો જોઈએ. કોળિયો પાછો પાત્રમાં નાખીને ઊભા થઈ જવું જોઈએ અને આગન્તુક સાધુઓને ‘“મસ્થળ વંવામિ' બોલીને તેમનું સ્વાગત ક૨વું જોઈએ. આગન્તુક સાધુઓ સાથે જો અમારી સમાન સમાચારી (સમાન ધર્મક્રિયાઓ, સમાન ધાર્મિક માન્યતાઓ) હોય તો તેમને પૂછીને એ સાધુઓ માટે અમે ભિક્ષા લઈ આવીશું. આગન્તુક સાધુ થોડોક આરામ કરશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy