SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૧૧૧ સભામાંથી આજના પ્રવચનમાં ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થયું, પરંતુ એક પ્રશ્નનું સમાધાન કરવાની કપા કરો. જળપૂજા, પુષ્પપૂજા વગેરેમાં હિંસા થાય છે, છતાં પણ તે કરવાનું વિધાન શા માટે કરવામાં આવ્યું છે ? મહારાજશ્રી હિંસા બે પ્રકારની હોય છે. હેતુ હિંસા અને સ્વરૂપ હિંસા. જો કોઈ પણ જીવને મારવાની ભાવનાથી મારો છો, તો હિંસાની ભાવનાથી હિંસા કરતા હો તો તેને તીર્થકરોએ હેતુ હિંસા કહી છે. આવી હિંસા કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. પરંતુ કોઈ શુભ ભાવથી કોઈ પવિત્ર ક્રિયા કરવામાં આવે છે ત્યારે એ ક્રિયામાં જીવ હિંસા પણ થતી હોય, એ હિંસા સ્વરૂપ હિંસા છે. એ હિંસાથી જે પાપકર્મ બંધાય છે તે પાપકર્મ શુભ ભાવનાના પાણીથી ધોવાઈ જાય છે. તમારા દયમાં પરમાત્મભક્તિનો શુભ ભાવ છે, એ ભાવથી તમે જળપૂજા અને પુષ્પપૂજા કરો છો. તમારો ભાવ પાણીના અને પુષ્પોના જીવોને મારવાનો નથી, પરંતુ એ ક્રિયામાં તે મરી અવશ્ય જાય છે. એનાથી જે પાપકર્મો બંધાય છે તે પરમાત્મભક્તિના ભાવજળથી ધોવાઈ જાય છે. એટલા માટે એ હિંસાના ભયથી પૂજાનો ત્યાગ ન કરવો જોઈએ. બીજી વાત વિચારો. તમે તમારા ઉપકારી સાધુપુરુષોને વંદના કરવા જાઓ છો ને? ટ્રેઈનમાં... બસમાં...... યા મારુતિમાં બેસીને જાઓ છો ને? શું ત્યાં હિંસા થતી નથી ? અરે, પંચેન્દ્રિય પશુઓની.....મનુષ્યોની હિંસા પણ થઈ જાય છે. થાય છે ને હિંસા? તો પછી વંદન કરવા ન જવું જોઈએ ને? જળપૂજા અને પુષ્પપૂજામાં તો એકેન્દ્રિય જીવોની હિંસા થાય છે. વાહનોમાં સફર કરવાથી પંચેન્દ્રિય જીવોની પણ હિંસા થાય છે. પરંતુ તમારો ભાવ હિંસા કરવાનો નથી. ભાવ ગુરુવંદના કરવાનો હોય છે, શુભ ભાવ હોય છે, એટલા માટે નિષેધ કરતા નથી. અલબત્ત, જળપૂજા અને પુષ્પપૂજામાં વિવેક હોવો અનિવાર્ય છે. અવિવેક સર્વત્ર વર્યું છે. જિનપૂજામાં વિવેક આવશે તો તમારી જિનપૂજા અનેક મનુષ્યોને જિનપૂજા કરવા માટે પ્રેરણા બની જશે. ગ્રંથકાર આચાર્યશ્રીએ “ઉચિતોપચારકરણમુ અને ભાવતઃસ્તવપાઠ એ બે સૂત્રો આપ્યાં છે. આ બે સૂત્રો પર આજનું પ્રવચન થયું. આજે, બસ આટલું જ. * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy