SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રાવકજીવન પરમાત્માની ત્રણ અવસ્થાઓનું ચિંતન કરો : પરમાત્માની ભાવપૂજામાં બીજી વાત છે પરમાત્મ ચિંતનની. આંખો બંધ કરીને યા પરમાત્મા ઉપર સ્થિર કરીને પરમાત્માની ત્રણ અવસ્થાઓનું ચિંતન કરવાનું – સર્વ પ્રથમ પરમાત્માની છાસ્થ અવસ્થાનું ચિંતન કરવું. - બીજું, અષ્ટ પ્રાતિહાર્યની સાથે સમવસરણમાં બિરાજમાન તીર્થકર ભગવાનનું ચિંતન કરવું. - ત્રીજું સિદ્ધાવસ્થાનું ચિંતન કરવું. છઘસ્થ અવસ્થાના ચિંતનમાં જન્મ-અવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને શ્રમણઅવસ્થાનું ચિંતન કરવું. આ ચિંતન પહેલાં મેં વિસ્તારપૂર્વક બતાવ્યું છે. આ ચિંતન અવશ્ય કરવું જોઈએ. આ ચિંતનથી પરમાત્મા સાથે પૂજકનું તાદાભ્ય સધાય છે અને આ જ પૂજાનું શ્રેષ્ઠ ફળ છે. પૂજાનું ફળ બતાવતાં જ્ઞાની પુરુષોએ ભાવપૂજાનું ફળ આ જ બતાવ્યું છે, તે છે પરમાત્માની પ્રાપ્તિ. વિવિધ પૂજાનાં વિવિધ ફળઃ જ્ઞાની પુરુષોએ પૂજાનાં ફળ બતાવતાં કહ્યું છે કે : v પરમાત્માની અંગપૂજા કરવાથી વિઘ્ન દૂર થઈ જાય છે. પ અગ્રપૂજા કરવાથી મનુષ્યનો અભ્યદય થાય છે, ઉન્નતિ થાય છે. - ભાવપૂજા કરવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ નિશ્ચિત છે કે પરમાત્માની પૂજા કરવાથી મનને શાન્તિ મળે છે. મન શાન્ત થવાથી શુભ ધ્યાન થાય છે. શુભ ધ્યાનથી, શુદ્ધ ધ્યાનથી આત્મા મુક્ત થાય છે. મુક્તિનાં શ્રેષ્ઠ સુખોની પ્રાપ્તિ થાય છે. એટલા માટે પ્રતિદિન વિધિપૂર્વક પરમાત્માની પૂજા કરવી જોઈએ. પરિપૂર્ણ પૂજા ન થઈ શકે તો ઓછામાં ઓછી અક્ષતપૂજા અને દીપપૂજા તો કરવી જ જોઈએ. પૂજાની કેટલીક વિશેષ વાતોઃ પૂજાવિધિ પ્રકરણમાં પૂજા વિશે કેટલીક વિશેષ વાતો કહેવામાં આવી છે. એ પણ આજે બતાવી દઉં છું. - બની શકે તો પૂર્વ દિશા સન્મુખ સ્નાન કરવું. - ઉત્તર દિશા સન્મુખ ઊભા રહીને શ્વેત-ઉજ્વળ વસ્ત્ર પહેરવાં. - પૂર્વ સન્મુખ યા ઉત્તર સન્મુખ ઊભા રહીને પરમાત્માની પૂજા કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy