SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૧૦૧ કરવાના છે. ભક્તિપૂર્ણ દયથી કરવાના છે. આવા વિચારો કરતાં કરતાં જિનભવન પહોંચશો. પરમાત્માને જોતાં જ રોમાંચ થશે ! આંખોમાં હર્ષનાં અશ્રુ ઊભરાઈ આવશે. સ્વર ગદગદિત થઈ જશે ! "નિસહિ” બોલીને પ્રવેશ કરવો : મંદિરના પ્રથમ દ્વારમાં પ્રવેશ કરતી વખતે "નિસહિ” બોલવું જોઈએ. આ બોલીને તમે સ્વેચ્છાથી પ્રતિજ્ઞા કરો છો કે - “હવે હું મન, વચન, કાયાથી ગૃહવિષયક પ્રવૃત્તિ નહીં કરું.” એટલે કે મંદિરના મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશ કર્યા પછી ઘર, દુકાન યા પરિવારના વિચારો ન કરવા જોઈએ. તે સંબંધમાં વાતો ન કરવી જોઈએ અને તદ્વિષયક કોઈ કાર્ય પણ ન કરવું. ત્રણ પ્રદક્ષિણા કરો: મંદિરમાં પ્રવેશ કર્યા પછી જો મૂળ ગભારાની પ્રદક્ષિણા કરવાની સુવિધા હોય તો ત્રણ વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. સભામાંથી ત્રણ જ કેમ ? મહારાજશ્રી : કારણ કે પરમાત્મા પાસેથી ત્રણ તત્ત્વો પામવાનાં છે - જ્ઞાન, દર્શન અને ચારિત્ર ! આ રત્નત્રયી પામવાનું આપણું ધ્યેય હોવું જોઈએ. ત્રણ પ્રદક્ષિણા ત્રણ તત્ત્વો પામવાના ધ્યેયથી કરવાની છે. પ્રદક્ષિણા આપણી ડાબી તરફથી અને પરમાત્માની ક્મણી તરફથી શરૂ કરવી જોઈએ. પૂજનસામગ્રીનો થાળ હાથમાં લઈને, પરિવાર સાથે ગંભીર અને મધુર સ્વરમાં સ્તવના કરતાં, જીવરક્ષાનો ઉપયોગ રાખીને મનમાં પરમાત્માના ગુણોનું ચિંતન કરતાં ત્રણ પ્રદક્ષિણા કરવી જોઈએ. પ્રદક્ષિણાનો આરંભ કરતી વખતે તમે સમવસરણની કલ્પના કરો. જેમ કે તમે સમવસરણમાં જઈને ચતુર્મુખપરમાત્માને પ્રદક્ષિણા આપી રહ્યા છો, એવી કલ્પના કરો. ત્રણ વાર પ્રણામ કરો: પ્રદક્ષિણા આપ્યા પછી પરમાત્માની સામે ઊભા રહીને બે હાથ જોડો. માથું નમાવો. કમરમાંથી અધનમી જાઓ. ત્રણ વાર નમો અને ભાવપૂર્ણ હૃયથી સ્તુતિ કરો. બાદમાં દુપટ્ટાથી મુખકોશ બાંધીને, બીજી "નિસીહિ” બોલીને ગભારામાં પ્રવેશ કરો. મુખ અને નાકથી નીકળતા નિઃશ્વાસને રોકવા માટે મુખકોશ બાંધવાનો છે. જિનપ્રતિમા ઉપર જે વાસી પુષ્પો છે તેને મોરપિચ્છથી ઉતારી નાખો. ગર્ભગૃહની ઉપયોગથી સફાઈ કરો. ત્યારબાદ જળપૂજા કરવી જોઈએ. ગ્રંથકારે કહ્યું છે તોપથાર ૪૮ હવે આ વાત સમજાવું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy