SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ શ્રાવકજીવન આટલા બધા સંઘો પણ ન કાઢવા જોઈએ, પૈસાનો દુર્વ્યય છે.” નિંદા કરનારાઓ સમજતા નથી કે તેઓ પોતાની બુદ્ધિનો દુર્વ્યય કરી રહ્યા છે. તેમને પાપક્રિયાઓનો વિરોધ કરવો સૂઝતો નથી! તેમને ધર્મક્રિયાઓની આલોચના કરવી જ પસંદ પડે છે! તેઓ એવાં પાપકર્મો બાંધે છે કે જ્યારે એ પાપકર્મો ઉદયમાં આવે છે ત્યારે - તેમને પ્રતિકૂળ પરિવાર મળશે. - ઘરનાં જ માણસો એમની નિંદા કરશે. - સમાજમાં અપ્રિય બનશે. – ધર્મ પ્રત્યે દ્વેષ થઈ જશે. – ક્રોધાદિ કષાયો તીવ્ર થશે. - નિર્ધનતા, દુર્બળતા અને દીનતાનો શિકાર બનશે. એટલા માટે કહું છું કે સામુદાયિક આરાધનામાં તમારે સામેલ ન થવું હોય તો ન થાઓ, પરંતુ નિંદા કદીય ન કરો. બુદ્ધિમત્તા હોય તો અનુમોદના કરવી. સામુદાયિક ધર્મ-આરાધનાનું મહત્ત્વ ગંભીરતાથી વિચારવું. ઊંડાણમાં જઈને વિચારવું. કરવું-ન કરવું એ તમારી શક્તિ પર નિર્ભર છે. પરંતુ એ ધર્મક્રિયાની ઉપાદેયતાનો સ્વીકાર તો કરવો જ પડશે. મનોવિજ્ઞાનની દ્રષ્ટિથી સમૂહક્રિયાનું મહત્ત્વ સમજવું. "કર્મબંધની દ્રષ્ટિએ સામુદાયિક ક્રિયાનું મહત્ત્વ સમજવું. સમજ્યા-વિચાર્યા વગર વિરોધનો ઝંડો લઈને બૂમો પાડવી એ મૂર્ખતા છે. સામુદાયિક પાપક્રિયાઓનો વિરોધ કરો વિરોધ જ કરવો હોય, વિરોધ કરવામાં તમને આનંદ આવતો હોય, તો એવી પાપક્રિયાઓનો વિરોધ કરો કે જે સામુદાયિક રૂપમાં થાય છે ! પરંતુ એ લોકો આ વિરોધ નહીં કરે, કારણ કે એમાં પોતે જ સામેલ હોય છે. - સમૂહમાં બેસીને સિનેમા જોશે. - સમૂહમાં બેસીને ટી.વી. જોશે. - સમૂહમાં બેસીને હોટલમાં પાર્ટી-ભોજન કરશે. - સમૂહમાં બેસીને જુગાર રમશે. - સમૂહમાં બેસીને શરાબ પશે. – લગ્નોત્સવમાં સામેલ થશે. - પિકનિક-પાર્ટીઓમાં સામેલ થશે. - સામુદાયિક તોફાનોમાં સામેલ થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy