SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકજીવન – કયો સાધર્મિક સુખી છે, કયો દુઃખી છે? - કોણ જૈન-આચારોનું પાલન કરે છે અને કોણ નથી કરતું? – કોણ ગુણાનુરાગી છે અને કોણ નિંદાથી ટેવાયેલું છે? આ પ્રકારે જાણકારી મેળવીને સમાન ધર્મવાળા યા સમાન વિચારો ધરાવનારાઓનો એક સંઘ સ્થાપીને પરમાર્થનાં કાર્યો કરવાં જોઈએ. જે લોકો ધર્મવિમુખ હોય તેમની સાથે મિત્રતા કેળવીને તેમને ધમભિમુખ કરવા જોઈએ. જેઓ અનાચાર તથા દુરાચારના માર્ગે છે તેમની સાથે પ્રેમભાવ બાંધીને તેમને સદાચારના માર્ગ પર લાવવા જોઈએ. એક વાત યાદ રાખો કે મૈત્રીભાવ સ્થાપિત કર્યા સિવાય તમે કોઈને ય સાચા માર્ગ પર લાવી નહીં શકો. સભામાંથી અમે તો પતિત થયેલાંની નિંદા કરીએ છીએ, તેમનો તિરસ્કાર કરીએ છીએ ! મહારાજશ્રી કારણ કે તેમના પ્રત્યે તમારા દ્ધયમાં પ્રેમ નથી, મૈત્રીભાવ નથી. પ્રેમ હશે તો નિંદા નહીં થાય, મૈત્રી હશે તો તિરસ્કાર નહીં થાય. એટલા માટે કહું છું કે સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ કેળવો. સાધર્મિકો પ્રત્યે વિશેષરૂપે પ્રેમભાવ પ્રસ્થાપિત કરો. ગ્રંથકાર આચાર્યશ્રીએ સમાન ધાર્મિકો સાથે રહેવાનું જે માર્ગદર્શન આપ્યું છે, તેનો મૂળ હેતુ આ છે: એકબીજાની જીવનયાત્રામાં સહયોગી બનવું. એકબીજાને સહયોગી ત્યારે બની શકશો કે જ્યારે એકબીજા પ્રત્યે મૈત્રીભાવ-સ્નેહભાવ હશે. સાધર્મિકો સાથે રહીને પણ જો એમની સાથે વેરભાવ-વિરોધ કરશો તો સાથે રહેવાનું કોઈ વિશેષ મહત્ત્વ નથી રહેતું. એટલા માટે ગ્રંથકારે આગળનું સૂત્ર આપ્યું છે: “વાસંમેતેy t સાધર્મિકો પ્રત્યે વાત્સલ્ય હોવું જોઈએ. "વાત્સલ્ય”ના રચનાત્મક પ્રકાર બતાવતાં ટીકાકાર આચાર્યશ્રી કહે છે : - સાધર્મિકોને પોતાને ઘેર નિમંત્રણ આપીને તેમને ભોજન કરાવવું. – મળવા આવે તો તેમને પાણી વગેરે આપવું, મુખવાસ કરાવવો. સાધર્મિક બીમાર હોય તો તેની પાસે જવું, સુખશાતા પૂછવી, તેની પાસે બેસવું. રાત્રે બીમારની સેવામાં ઉપસ્થિત રહેવું. હૉસ્પિટલમાં જવું, જરૂરી હોય તો હૉસ્પિટલમાં રહેવું. જે સાધર્મિક દુઃખી હોય તો તેને આર્થિક સહાય પણ કરવી જોઈએ - જો તમે સુખી શ્રાવક હો તો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy