________________ ભાગ - 1 231 અતિચારનાં મૂળ કારણ મિથ્યાત્વ અને કષાયઃ એટલા માટે તો સર્વપ્રથમ મિથ્યાત્વ દૂર કરવું આવશ્યક છે, અને એટલે જ તો મિથ્યાત્વને સારી રીતે સમજી લેવું જોઈએ. આ મિથ્યાત્વ આત્માનો અનાદિકાલીન દોષ છે. પરંતુ જે દોષ અનાદિ હોય તે અનંત-અંત રહિત જ હોય એ આવશ્યક નથી. અનાદિ દોષનો પણ અંત આવી શકે છે. જે જીવો "ભવ્ય” હોય છે તેમનો મિથ્યાત્વ દોષ અનાદિ હોવા છતાં પણ નષ્ટ થાય છે. પરંતુ જે જીવો "અભવ્ય” હોય છે એમનો અનાદિકાલીન મિથ્યાત્વ દોષ કદી નષ્ટ થતો નથી ! તેમનું મિથ્યાત્વ અનાદિ-અનન્ત હોય છે. ભવ્ય અને અભિવ્ય : તમારા માટે "ભવ્ય” અને "અભવ્ય” શબ્દો નવા છે ને? એ શબ્દો સમજાવું છું. જે જીવ ગમે ત્યારે પણ મોક્ષ પામવાનો હોય તો તેને "ભવ્ય" કહેવાય છે. એટલે કે ભવ્ય જીવની કોઈને કોઈ સમયે મુક્તિ થશે જ. કોઈની સત્વરે તો કોઈની વિલંબથી, પરંતુ જે જીવ અભવ્ય” હોય છે તેની કદીય મુક્તિ થતી જ નથી. કારણ કે એ અભવ્ય આત્માને મુક્તિ પ્રત્યે પ્રેમ જ હોતો નથી. તે મોક્ષ-મુક્તિ ઇચ્છતો જ નથી. તેથી તેને તે મળતી જ નથી ! જીવાત્મા જે વસ્તુને ઇચ્છતો જ ન હોય તે તેને મળે જ નહીં. "ભવ્ય” જીવાત્મા કોઈક વાર તો મુક્તિ ઈચ્છે છે. મુક્તિ માટે તેનો પ્રેમ જાગૃત થાય છે માટે તેની મુક્તિ થાય છે. ભવ્ય જીવાત્માની ભીતર મુક્તિરાગ સુષુપ્ત અવસ્થામાં પડેલો હોય છે. સમય આવતાં, એવું આલંબન મળતાં તે મુક્તિરાગ જાગૃત થઈ જાય છે અને એની મુક્તિ થાય છે. આવા ભવ્ય જીવો અનંત હોય છે. હા, અનંત જીવો મુક્ત થઈ પણ ગયા છે, અને અનંત જીવો મુક્ત થશે. મજાની વાત તો એ છે કે અભવ્ય જીવો પણ સંસારમાં અનન્ત છે, એવું ધર્મગ્રંથમાં કહેવાયું છે. એ અભવ્ય જીવોમાં મુક્તિરાગ હોતો જ નથી. ન સુષુપ્ત અવસ્થામાં, ન જાગૃત અવસ્થામાં. તે જીવો કદી પણ-કોઈપણ જન્મમાં મોક્ષનેમુક્તિને માનતા જ નથી !"શાસ્ત્રોમાં જેવો મોક્ષ કહેવામાં આવ્યો છે એવો મોક્ષ હોઈ શકતો જ નથી.” એવી અભવ્ય જીવોની માન્યતા હોય છે ! "એવું કેમ ?" આ પ્રશ્ન ન પૂછશો. જીવાત્માઓમાં પોતપોતાની યોગ્યતાની વાત હોય છે આ. કોઈક વાર ભવ્ય જીવ પણ અભવ્ય જેવો લાગે છે જે સમયે મોક્ષરચિ સુષુપ્ત હોય, મોક્ષ પ્રત્યે દ્રષ્ટિ ન ખૂલી હોય એ સમયે તે ભવ્ય જીવ પણ મોક્ષ તરફ નફરત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org