________________ 229 ભાગ - 1 यदाऽनाभोगादिनाऽतिक्रमादिना वा एतानाचरति तदाऽविचारोऽन्यदा तु भंग gવ જો વ્રતધારી અજાણતા, ભૂલમાં એવું કરે તો અતિચાર લાગે છે. પરંતુ અનાચાર કરે, ઈરાદાથી કરે તો વ્રતભંગ જ થાય છે. 4. ચોથો અતિચાર ત્યારે લાગે છે કે જ્યારે ભિક્ષા આપતી વખતે વિચારે છેઃ "મારી પાસેના ભિખારીએ પણ મુનિને ભિક્ષા આપી, તો શું હું ભિખારી કરતાં પણ ગયો?” એવું વિચારીને ભિક્ષા આપે કે ક્રોધ કરીને ભિક્ષા આપે તો અતિચાર લાગે છે. "માત્સર્ય” નો અર્થ છે બીજાના ગુણ સહન ન થવા! બીજા લોકો મુનિને દાન આપે છે, આ ગુણ જોઈને સહન થતું નથી અને માત્સર્યથી પ્રેરાઈને ભિક્ષા આપે છે આ અતિચાર છે. વાસ્તવમાં "સંવિભાગ” થતો જ નથી. એટલા માટે ભંગ જ માનવો જોઈએ. 5. પાંચમો અતિચાર પણ નામનો જ અતિચાર છે, વાસ્તવમાં તો વ્રતભંગ જ છે. મુનિની ભિક્ષાનો જે સમય હોય એના પહેલાં જ ભોજન કરી લે, અથવા સમય વીત્યા પછી ભોજન કરે ! જ્યારે મુનિ ભિક્ષા માટે આવે ત્યારે કહી દે કે "આપ મોડા આવ્યા” અથવા “આપ વહેલા આવ્યા.” આ પાંચ અતિચારો છે. સંવિભાગની ભાવના ચાલી જાય છે ત્યારે આ અતિચારો લાગે છે. અતિથિ પ્રત્યે ભક્તિનાવ નષ્ટ થઈ જાય છે ત્યારે આ દોષ લાગે છે - દોષ રહિત વ્રતપાલન જ આત્મકલ્યાણનું કારણ બને છે. એ વાત કાલે બતાવીશ. આજ બસ, આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org