________________ 228 શ્રાવક જીવન ઉપર રાખે–ભૂલથી રાખે....સાધુ મુનિરાજને કલ્પતો નથી એટલે તેઓ લેતા નથી, આ "અતિચાર” છે. જાણી જોઈને સાધુને આહાર ન આપવો પડે એ ભાવનાથી કરે તો વ્રતનો ભંગ થાય છે. જેમ કે તે વિચારે છે મારા આ “અતિથિ-સંવિભાગ” વ્રત અનુસાર મારે સાધુને ભિક્ષા આપવી જોઈએ. પરંતુ સાધુઓ સચિત્ત વસ્તુ ઉપર મૂકેલી વસ્તુ લેતા નથી. હું તેમની સામે આહાર મૂકીશ; તેઓ નહીં લે અને મારું વ્રત તૂટશે નહીં. - આમાં "મારું વ્રત તૂટશે નહીં” એ ભાવ સાપેક્ષતાનો હોવાથી અતિચાર છે. જો જાણીબૂઝીને, ભિક્ષા ન આપવાની ભાવનાથી એવું કરે તો વ્રતભંગ જ કહેવાશે. 2. બીજો અતિચાર છે "સચિત્તપિધાન”નો. આહારની ઉપર સચિત્ત પુષ્પ, ફળ, કંદ વગેરે રાખીને આહારને ઢાંકી દે છે અને જ્યારે ભિક્ષા માટે મુનિવર પધારે છે ત્યારે તે આહાર તેમની સામે મૂકી દે છે. મુનિરાજ એ આહાર ગ્રહણ કરતા નથી. તેઓ ચાલ્યા જાય છે. હવે આ મૂર્ખ માણસ વિચારે છે કે "મેં તો મુનિરાજની સામે ભિક્ષા ધરી દીધી હતી. તેમણે ન સ્વીકારી તો હું શું કરું? મારું વ્રત તૂટ્યું નથી.” માત્ર મન મનાવવાની છે આ વાત ! વાસ્તવમાં વ્રતભંગ જ કહેવાશે. કુટિલ બુદ્ધિથી જ તેણે અચિત્ત આહારને સચિત્ત વસ્તુઓથી ઢાંકીને રાખ્યો છે...જેથી મુનિ આહાર ગ્રહણ કરે જ નહીં ! અતિથિને ન આપવાની ભાવનામાં “સંવિભાગરહેતો જ નથી! સંવિભાગ કરવાની ભાવના વગર અતિથિ વિભાગ વ્રત કેવી રીતે અખંડ રહેશે? તૂટશે જ. 3. હવે ત્રીજો અતિચાર સમજી લો. લગાડવા નહીં પરંતુ તેનાથી બચવા માટે સમજવાનો છે ! શ્રાવક સાધુઓની ભિક્ષા ગ્રહણ કરવાની પદ્ધતિ જાણે છે કે જે વસ્તુ જે વ્યક્તિની હોય તેની ઈચ્છાથી તે વસ્તુ ગ્રહણ કરે છે. માલિકની ઈચ્છા વગર, બીજી વ્યક્તિ એ વસ્તુ આપે તો પણ સાધુ પ્રહણ નથી કરતા! આ નિયમનો ફાયદો ઉઠાવનાર વ્રતધારી શ્રાવક ભિક્ષા ન આપવી પડે એટલા માટે ભિક્ષા આપતી વખતે બોલે છે. આ ઘી તો લલ્લુભાઈનું છે. આ સાકર ચંચળ બહેનની છે. અને એ લોકો અહીં નથી. છતાં પણ મહારાજ, આપ આ ઘી અને સાકર ગ્રહણ કરો !" મુનિ તો ના પાડશે. ભિક્ષા નહીં લે અને ચાલ્યા જશે! તે વ્રતધારી શ્રાવક ખુશ થઈ જશે. ચાલો, ઘી અને સાકર બચી ગયાં. અને વ્રત પણ બચી ગયું. આવી તૃષ્ટિબુદ્ધિવાળાનું વ્રત કેવી રીતે બચે? ટીકાકાર આચાર્યશ્રીએ લખ્યું છેઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org