________________ 226 શ્રાવક જીવન વાસણવાળીએ કહ્યું : “ભાઈ, એ ધન્યવાદ આપે કે ન આપે, મારે તો ભગવાનની નજરમાં અપરાધી બનવું ન હતું, પાછા આપી દીધા, ચાલો અહીંથી.” વાસણવાળીના સદૂભાવ અને સદ્વ્યવહારનું મૂલ્યાંકન તે સ્ત્રી ન કરી શકી, હોય છે એવા જીવ પણ સંસારમાં. ઘરમાં વહુ કેટલું સારું કામ કરતી હોય છે, પણ સાસુ એનું મૂલ્યાંકન નથી કરતી. પ્રશંસાના બે શબ્દો બોલતી નથી. એવું મોટા ભાગના ઘરોમાં જોવા મળે છે ને? પુરુષ ખૂબ મહેનત કરીને પૈસા કમાય છે, કેટલીક પત્નીઓ એનું મૂલ્યાંકન નથી કરતી, ઉપરથી બોલે છે, પૈસા કમાઈને લાવો છો તે અમારા ઉપર ઉપકાર કરો છો ? ઘર ચલાવવું હોય તો પૈસા કમાવા જ પડે.” નોકર શેઠ પ્રત્યે ગમે તેટલો સદ્ભાવ રાખતો હોય, સારું કામ કરતો હોય, પરંતુ મોટે ભાગે શેઠ લોકો નોકરોનું મૂલ્યાંકન કરતા નથી. એવું શેઠ નોકરો પ્રતિ ગમે તેટલો સદ્ભાવ અને સદ્ વ્યવહાર રાખતા હોય, પણ નોકરો પ્રાયઃ એમનું મૂલ્યાંકન ઓછું કરે છે. સદ્ભાવ અને સદ્વ્યવહારનું મૂલ્યાંકન કરો : દુનિયામાં સભાવ અને સદ્ વ્યવહાર અતિ દુર્લભ છે, કોઈ પણ વ્યક્તિમાં આ બે તત્ત્વો દેખાય તો તેની પ્રશંસા કરવી જોઈએ. ઉપહણા કરવી જોઈએ, તેના પ્રત્યે સદ્ભાવ પ્રદર્શિત કરવો જોઈએ. સવ્યવહાર કરવો જોઈએ. એવું કરવાથી એ બે તત્ત્વોમાં વૃદ્ધિ થાય છે. સદ્ભાવ વૃદ્ધિ પામે છે. સદ્ વ્યવહાર વ્યાપક બને છે. મુનિરાજે નયસારના સદ્ વ્યવહાર અને સભાવનું મૂલ્યાંકન કર્યું. "આ આત્મા સુયોગ્ય, સુપાત્ર અને ગુણવાન છે, તેણે મને માર્ગ બતાવ્યો તો હું એને માર્ગ બતાવું.” જ્યારે મુખ્ય માર્ગ ઉપર બંને આવી પહોંચ્યા ત્યારે નયસારે કહ્યું: "હે મહાત્મ, આ માર્ગે આપ આગળ ચાલ્યા જજો. આગળ સાથે મળી જશે.” મુનિરાજે નયસાર તરફ કરુણા અને વાત્સલ્યથી જોયું, નયસાર નતમસ્તક થઈ ગયા અને મુનિરાજને નમન કર્યું. મુનિરાજે પ્રેમપૂર્ણ શબ્દોમાં કહ્યું "મહાનુભાવ, તેં મને એક ગામનો રસ્તો બતાવ્યો, હું તને પરમ સુખ અને પરમ શાન્તિનો રસ્તો બતાવવા ઈચ્છું છું.” "બતાવો મહારાજ !" નયસારે ભક્તિપૂર્ણ શબ્દોમાં કહ્યું. મુનિરાજે કહ્યું : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org