________________ 215 ભાગ - 1 લેવું જોઈએ. મનુષ્યગતિમાં પણ ભયાનક રોગ, ભીષણ દારિત્ર્ય, ઘોર અપમાનતિરસ્કાર, આદિ દુઃખોની કલ્પના જીવંત રહેવી જોઈએ. એનાથી તન-મનમાં સામાન્ય દુઃખ સહન કરવાની શક્તિ વધશે. ધર્મપ્રાપ્તિ દુર્લભ : તેમણે બીજો વિચાર ધર્મપ્રાપ્તિની દુર્લભતા ઉપર કર્યો. રાજા ગુણસેનને આચાર્યશ્રી વિજયસેનનો પરિચય થયો હતો, અને ધર્મપ્રાપ્તિ થઈ હતી. ગુરુનો પરિચય અને ધર્મની પ્રાપ્તિ; બંને વાતો રાજાને દુર્લભ લાગી હતી. એટલે તો ઉપસર્ગને સમયે, સંકટના સમયે તેઓ દુર્લભ તત્ત્વને છોડવા માગતા ન હતા. તેમણે પોતાનું વ્રત ન છોડ્યું. "આગ વરસવી હોય તેટલી વરસે, હું અહીંથી હઠવાનો નથી, વ્રતનો ત્યાગ કરવાનો નથી.” ધર્મને શ્રેષ્ઠ, દુલર્ભ તત્ત્વ માનશો તો, પ્રાણોથી પણ વધારે દુર્લભ માનવામાં આવે તો તમે સંકટના સમયે ધર્મનો ત્યાગ નહીં કરો ! જે વસ્તુ ઘણા ઓછા માણસોને મળે છે, તે વસ્તુ દુર્લભ માનવામાં આવે છે. ધર્મ ઘણા ઓછા માણસોને પ્રાપ્ત થાય છે. એટલા માટે તે દુર્લભ છે. યાદ રાખો કે ધર્મ જ સર્વ સુખોનું મૂળ છે. મૂળ સલામત રહેશે તો વૃક્ષ ફરીથી પણ પેદા થઈ શકે છે; રાજર્ષિ ગુણસેનનું ચિંતન કેટલું યથાર્થ હતું ? ધર્મનો પ્રભાવ : રાજા ધર્મના પ્રભાવનું ચિંતન કરે છે. "જો પ્રયત્ન સાથે ધર્મનું સુચારુ પાલન કરવામાં આવે તો જન્માન્તરમાં પણ જીવ દુઃખી થતો નથી. દુગતિમાં જતો નથી.” જીવન જીવતાં જીવતાં આવનારા જન્મોનો પણ વિચાર કરવો જોઈએ. આ જીવન તો "ચાર દિવસની ચાંદની” છે. મૃત્યુ પછી મારો જન્મ કઈ ગતિમાં થશે ? મારી દુગતિ ન થવી જોઈએ. મારો જન્મ થાય ત્યાં દુખ અને અશાન્તિ ન હજો. આ વાત ધર્મની આરાધનાથી જ સંભવિત થાય છે. જે આ જન્મમાં અહિંસા, અસત્ય, અચૌર્ય, સદાચાર અને અપરિગ્રહ-ધર્મનું પાલન કરે છે, દાન, શીલ, તપ અને ધર્મભાવનું પાલન કરે છે, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્ય ભાવનાઓને દ્ધયસ્થ કરે છે, તેની સંગતિ થાય છે, તેની દુર્ગતિ થતી નથી. રાજા ગુણસેનનો આ નિર્ણય હતો. ધર્મના પ્રભાવને તેઓ સારી રીતે સમજ્યા હતા. એટલા માટે તેમણે ઘોર સંકટમાં પણ ધર્મ પ્રભાવનું ચિંતન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org