________________ 214 શ્રાવક જીવન જે સદ્ધર્મરત્વ પામવું દુર્લભ છે. એ સદ્ધર્મ રત્ન મને મળી ગયું છે. 3. આ ધમરત્નના પ્રભાવથી એના સુચારુ પાલનથી, જન્માન્તરમાં પણ જીવ દુઃખ-દુર્ગતિ પામતો નથી. 4. મારો તો આ જન્મ જ સફળ થઈ ગયો છે. કારણ કે અનાચરણ-દોષથી મુક્ત જન્મ અને સદ્ધર્મની શ્રેષ્ઠ પ્રાપ્તિ મને આ અનાદિ સંસારમાં થઈ ગઈ છે. પ. મારા દ્ધયમાં બસ આ વાત ખટકે છે કે, મેં પેલા અગ્નિશમનો ઘોર પરાભવ કર્યો અને એને લીધે તેનામાં પ્રચંડ ક્રોધ ઉત્પન્ન થયો, અકાર્ય કરવા બદલ મને ઘોર પશ્ચાત્તાપ થાય છે. 6. હવે તો મેં સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કર્યો છે, જિનવચનથી પ્રેરિત થઈને વિશેષ કરીને તો અગ્નિશમાં પ્રત્યે મારો મૈત્રીભાવ છે. તેના પ્રત્યે રજમાત્ર વેરભાવ નથી. પૌષધવ્રત જેવા જ "પ્રતિમાવત” માં રહેલા મહાત્મા ગુણસેન રાજાનું આ ગંભીર - ચિંતન, માત્ર સાંભળવાથી કામ નહીં ચાલે, એ ચિંતન ઉપર આપણે ગંભીરતાપૂર્વક ગહન ચિંતન કરવું પડશે. એક વાત યાદ રાખવી પડશે કે મહાત્મા ગુણસેને એવું ચિંતન કયા સંજોગોમાં, કેવી પરિસ્થિતિમાં કર્યું હતું. જ્યારે તેના શરીર ઉપર આગ વરસી રહી હતી, શરીર બળી રહ્યું હતું એ સમયે એણે આ ચિંતન કર્યું હતું. આ પ્રકારનું ચિંતન ભેદજ્ઞાની અનાસક્ત યોગી જ કરી શકે છે. આત્મા અને શરીરનો ભેદ જેણે જાણી લીધો હોય, માની લીધો હોય અને શરીર પ્રત્યે જે અનાસક્ત બની ગયો હોય તે જ્ઞાની પુરુષ જ એવી ઉપદ્રવગ્રસ્ત પરિસ્થિતિમાં શાન્તચિત્તથી જિનવચનનાનુરૂપ ચિંતન કરીને સમભાવ ધારણ કરી શકે છે. સંસાર દુખમય H "આ સંસાર શારીરિક અને માનસિક દુઃખોથી ભરેલો છે” એ એનો પ્રાથમિક વિચાર છે. એટલે કે સંસારમાં દુઃખો સ્વાભાવિક છે. "અરે, મને દુઃખ કેમ આવ્યું? મારા ઉપર આગ કેમ વરસી રહી છે?” એવો પ્રશ્ન એમના મનમાં ન ઉદ્ભવ્યો. આ આગ વરસવાનું દુઃખ તો મામૂલી છે નર્ક અને તિર્યંચગતિનાં દુખોની તુલનામાં. આ દુઃખો તો નગણ્ય છે. જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે મોટા દુખો સાથે તેની તુલના કરી લો. વર્તમાન દુઃખ તુચ્છ અને નગણ્ય લાગશે. નરકગતિ અને તિર્યંચગતિનાં દુઃખોનું જ્ઞાન કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org