________________ 206 શ્રાવક જીવન વ્રતપાલનમાં નિવૃત્તિનું લક્ષ્ય જોઈએ: સાચી વાત એ છે કે વ્રત ગ્રહણ કરતી વખતે મનુષ્યનું લક્ષ્ય નિવૃત્તિનું હોવું જોઈએ. પ્રેમ પ્રવૃત્તિ માટે હોય છે અને વ્રત નિવૃત્તિનું લે છે, એથી આ પ્રકારના અતિચાર લાગે છે. એટલે તો ગ્રંથકાર આચાર્યદિને શરૂઆતમાં જ કહ્યું છે કે જે કોઈ વ્રત લો તે સમજી વિચારીને લો. પોતાના સામર્થ્યનો વિચાર કરીને લો. ભાવાવેશમાં આવી. જઈને વ્રત ન લેવું જોઈએ. _"મારે મારી સાંસારિક પ્રવૃત્તિઓ સીમિત કરવી છે. હવે મારે નિવૃત્તિ તરફ અગ્રેસર થવું છે.” એવો નિર્ણય આત્મસાક્ષીએ કરવો જોઈએ. ત્યારે જ વ્રતપાલનમાં વૃઢતા આવે છે. અન્યથા પ્રવૃત્તિઓનું આકર્ષણ વ્રતોમાં દૂષણ લગાડે છે. આજે અહીં બતાવેલા પાંચ અતિચારો પ્રવૃત્તિના આકર્ષણને કારણે જ લાગે છે. એ સ્પષ્ટ વાત છે. માત્ર સાપેક્ષતાના ભાવને લીધે જ બચી જાય છે. મનુષ્ય અન્યથા વ્રતભંગ જ થઈ જાય ! આચારમાર્ગની અનિવાર્યતાઃ રાવણની એક વાત H સભામાંથી વ્રતપાલન આચાર માર્ગ છે, આચાર માર્ગનું આટલું વધારે મહત્ત્વ શા માટે ? મહારાજશ્રી કોઈપણ ધર્મની આધારશીલા આચારમાર્ગ છે. ભારતના જે જે ઘમએ આચારમાર્ગને ગૌણ કરી દીધો, મહત્ત્વ ઓછું કર્યું તે ધમ લુપ્તપ્રાય થઈ ગયા. જેમ કે જે મનુષ્યોએ શુભ-શ્રેષ્ઠ આચારમાર્ગને જીવનમાં સ્થાન ન આપ્યું તે મનુષ્યો પાપોના ખાડામાં પડ્યા. તેમનું પતન થઈ ગયું. એટલા માટે વિશિષ્ટ જ્ઞાની પુરુષોએ સુંદર આચાર માર્ગ પ્રતિપાદિત કર્યો છે. શુભ-પ્રશસ્ત આચારોનું પાલન કરવાથી મનુષ્ય અનેક અનર્થોથી, પાપોથી, દુરાચારોથી બચી જાય છે. મનુષ્યની પાસે ગમે તેટલી કળાઓ હોય, ગમે તેટલું બળ હોય ધન હોય કે વૈભવ હોય, પરંતુ જો સમ્યમ્ આચાર ન હોય તો સર્વ વ્યર્થ છે. રાવણના સમયની એક વાત છે, આ પુરાણકથા છે. રાવણની રાજસભામાં એક મહર્ષિ પધાર્યા. રાવણ સાધુ, મુનિ, મહર્ષિઓને સન્માન આપનારો હતો. જ્યારે મહર્ષિ રાજસભામાં પધાર્યા તો રાવણે તેમનું સન્માન કર્યું. રાવણે પોતાના રાજ્યમાં વિવિધ પ્રયોગશાળાઓ સ્થાપિત કરી હતી. ' તેણે તે તમામ પ્રયોગશાળાઓ મહર્ષિને બતાવી. વિજ્ઞાનશાળા, ચિકિત્સાશાળા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org