SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન : ૧ सद्धर्म श्रवणादेवं नरो विगतकल्मषः । ज्ञाततत्त्वो महासत्त्वः परं संवेगमागतः ॥ धर्मोपादेयतां ज्ञात्वा संजातेच्छोऽत्र भावतः 1 द्दढं स्वशक्तिमालोच्य ग्रहणे संप्रवर्तते ॥ પરમ કૃપાનિધિ મહાન શ્રુતધર આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરિએ "ધર્મબિંદુ" ગ્રંથના તૃતીય અધ્યાયમાં ગૃહસ્થ જીવનનો વિશેષ ધર્મ નિર્દેશ્યો છે. પ્રથમ અધ્યાયમાં ગૃહસ્થ જીવનનો સામાન્ય ધર્મ બતાવ્યો છે, જ્યારે ત્રીજામાં વિશેષ ધર્મ. તમારા મનમાં જિજ્ઞાસા થશે કે હું બીજા અધ્યાય પર પ્રવચન કેમ નથી આપતો ? બીજો અધ્યાય તમારા સૌને માટે નથી; અમારા-સાધુઓ માટે છે. તેમાં ધર્મોપદેશ કેવી રીતે આપવો એ અંગે સમુચિત માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ત્રીજા અધ્યાયની વાતો તમારા માટે જેટલી મહત્ત્વની છે, તેટલી મહત્ત્વની આ વાતો નથી. બીજી વાત આ પણ છે કે ગૃહસ્થ જીવનનો સામાન્ય ધર્મ સમજ્યા પછી વિશેષ ધર્મ જાણવાની ઈચ્છા જાગૃત થાય એ સ્વાભાવિક છે. સામાન્ય ધર્મોની અતિ ઉપયુક્ત અને રસપૂર્ણ વાતો સાંભળતાં સાંભળતાં કેટલાક શ્રોતાઓના મનમાં વિશેષ ધર્મ-પુરુષાર્થ કરવાની ભાવના જાગૃત થઈ શકે છે. સદ્ગુરુઓના મુખેથી ધર્મોપદેશ શ્રવણનો વિશિષ્ટ પ્રભાવ શ્રોતાઓના હૃદય ઉપર પડે છે. આ તૃતીય અધ્યાયના પ્રારંભે જ આચાર્ય દેવે એ પ્રભાવ બતાવ્યો છે. ધર્મ-શ્રવણથી પાપમુક્તિ ઃ અધિકારી સદ્ગુરુ પાસેથી ધર્મશ્રવણ કરતાં કરતાં માણસ કેટલાંક પાપોથી મુક્ત થઈ શકે છે. બે બાબતો સમજવાની છે. પ્રથમ બાબત છે ધર્મોપદેશકની અને બીજી છે ધર્મોપદેશ સાંભળનારાઓની. બંનેએ યોગ્યતા પ્રાપ્ત કરેલી હોય તો પાપોથી મુક્તિ અવશ્ય મળે છે. જિન શાસનમાં ધર્મોપદેશકની કેટલીક યોગ્યતાઓ અપેક્ષિત છે. બધા સાધુઓ ધર્મોપદેશક બની શકતા નથી. ઉપદેશક સાધુ "ગીતાર્થ” હોવો જોઈએ. એટલે કે શાસ્ત્ર-જ્ઞાતા હોવો જોઈએ, દેશ-કાળનો જાણકાર હોવો જોઈએ. શ્રોતાઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy