SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ સનું ધ્યાન ૨૦૧૭-૨૦૧૮-૨૦૧૯ દરમ્યાન અઈના ધ્યાન વિષયક પૂ.ગુરુમહારાજની પ્રેરણા ચાલુ રહી. તેમાં યોગશાસ્ત્રના આઠમા પ્રકાશના ૬ થી ૨૨ શ્લોકના અહ ની સાધનાના પ્રયોગ માટે પૂ. ગુરુમહારાજ વિશેષ સમજ વારંવાર આપતા હતા તેનો એકંદરે સાર આ પ્રમાણે છે : ધ્યાનાભ્યાસ પ્રયોગ સંક્ષિપ્ત નીચે મુજબ : (૧) અહં ના ધ્યાન માટે પૂર્વ તૈયારી કરવી. (૨) નાભિકંદની નીચે આઠ પાંખડીવાળા કમળની કર્ણિકામાં અહમંત્ર સ્થાપન કરી તેનું ધ્યાન કરવું. (૩) અહં મંત્રના હવ, દીર્ઘ, ડુત, સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ ઉચ્ચારણ દ્વારા અહમંત્ર નાભિમાંથી ઉપર જાય છે તે અનુક્રમે મણિપુર ચક્ર (નાભિ), અનાહત ચક્ર (હૃદય), વિશુદ્ધ ચક્ર (કંઠ), આજ્ઞાચક્ર (ભૂમધ્ય)નું વિદારણ (ભેદન) કરી બ્રહ્મરંધમાં લય પામે છે. (૪) બ્રહ્મરંધ્રમાં અતિ સૂક્ષ્મ સ્વરૂપે લય પામેલા અહંના ધ્યાનની તન્મયતાથી બ્રહ્મરંધ્રમાંથી અમૃતની વર્ષા થાય છે. તે અમૃતવર્ષામાં આપણો આત્મા તરબોળ બને છે. (પ) તે અમૃતનું સરોવર બને છે. તેમાં નાભિસ્થાને ૧૬ પાંખડીવાળા સફેદ કમળની કર્ણિકામાં આપણો આત્મા છે. સોળ પાંખડીમાં રહેલ ૧૬ વિદ્યાદેવીઓ સ્ફટિક રત્નના કળશથી આપણો અભિષેક કરે છે, અને આત્મવિદ્યાનું દાન આપે છે. (૬) આપણો આત્મા નાભિકંદમાંથી મધ્ય માર્ગે બ્રહ્મરંધ્રમાં પહોંચી, ત્યાં બિરાજમાન શુદ્ધ સ્ફટિક જેવા નિર્મળ, જ્યોતિ સ્વરૂપ અરિહંત પરમાત્માનું તન્મયપણે ધ્યાન કરે છે. (૭) તે ધ્યાનાશમાં સોડહં-પરમાત્મા તે જ હું - આવું આત્મજ્ઞાન થાય છે. (૮) ધ્યાતા-ધ્યાન-ધ્યેયની એકતાથી પરમ તત્ત્વનો અનુભવ એટલે કે આત્મસાક્ષાત્કારનો પરમાનંદ પ્રગટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy