________________
૭૨
વર્ણમાલા છે. તેનું ધ્યાન કરનારને અપ્રતિમ વાણીનો પ્રવાહ મળે છે. (Influent Flow) વર્ણમાલાનું ધ્યાન કરનારને કાંઇ પણ કહેવું હોય તો શબ્દ શોધવો પડતો નથી. શબ્દને તેની પાછળ દોડતા આવવું પડે છે. એક હજાર વકતૃત્વની કળા (At of speaking) ના પુસ્તકો વાંચવાથી જે વકતૃત્વ કળા માટેનું જ્ઞાન મળે છે, તે કરતાં અનેકગણું અધિક વકતૃત્વકળાનું જ્ઞાન ૪૯ અક્ષરોના ધ્યાનમાંથી મળે છે. કારણ કે સર્વ ભાષા અને શબ્દો ૪૯ અક્ષરમાંથી ઉત્પન્ન થાય છે (માત્ર ધર્મોપદેશ માટે જ આ પ્રયોગથી પ્રાપ્ત થતી શકિતનો ઉપયોગ કરવા વિનંતી છે.) તેના ધ્યાનનો વિધિ નીચે મુજબ છે -
સાધક આત્મા નાભિકંદ (મણીપુર ચક્ર) સ્થાનમાં ૧૬ પાંખડીવાળું કમળ ચિંતવે. તેમાં સોળ સ્વરોને અત્યંત સ્થિરતાપૂર્વક ચિંતવે. (૧૬ સ્વરો આ પ્રમાણે - મ, મા, રૂ, રૂં, ૩, *, *, 2, 7, 7, , , , , , મા.)
(૨) તે પછી હૃદયસ્થાન (અનાહત ચક્ર)માં ચોવીસ પાંખડીવાળું કમળ ચિંતવે. તેમાં થી જ સુધીના ૨૪ વર્ણોને ચિતવે. અને તે કમળની કર્ણિકામાં મ ચિંતવે. ૨૪ વર્ણો આ પ્રમાણે – (, , , , ૩૫, ૬, , , ગ, ૨, ૩, ૩, ૪, પ, ત, થ, ૩, , ન, ૫, ૨, ૩, ૫,)
(૩) તે પછી મુખસ્થાનમાં આઠ પાંખડીવાળું કમળ ચિંતવવું તેમાં ય થી સુધીના આઠ વર્ણો ચિંતવે. આઠ વર્ણો આ પ્રમાણે - (૧, ૨, ન, , શ, ષ, સ, ઢ).
આ પ્રકારે નિત્ય વિધિપૂર્વક સ્મરણ કરતો સાધક શ્રુત જ્ઞાનનો પારગામી થાય છે, અપ્રતિમ વાક્યાતુર્યને મેળવે છે. મહાપુરુષોના પૂજા સત્કારને પામે છે, અને ઉત્તમ પુરુષોએ પ્રાપ્ત કરેલ ગતિ (મોક્ષ)ને પામે છે.
વર્ણમાતૃકા વિષે પૂ.ગુરુમહારાજનું ચિંતન અતિ દિવ્ય છે. યોગશાસ્ત્રના આ બન્ને પ્રયોગો પૂ. ગુરુભગવંતની કૃપાથી સ્થિરતા પૂર્વક ચાલુ રહ્યા અને સાધકના જીવનમાં આજ પર્યત ચાલુ છે.
ધન્ય છે આવા દિવ્ય પુરુષને જે અત્યંત વાત્સલ્યપૂર્વક સાધકોને પ્રેરણા આપી દિવ્ય માર્ગે લઇ જાય છે. ધન્ય છે ગુરુકૃપાને જે વિઘ્નોથી ભરેલા સંસાર સમુદ્રમાં નાવ સમાન બનીને સાધનાને નિર્વિઘ્ન ચાલુ રખાવી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org