SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૦૧૬ના બેડાના ચાતુર્માસ દરમ્યાન એક દિવ્ય પળે પૂ. ગુરુ ભગવંતે યોગશાસ્ત્રના આઠમા પ્રકાશના પહેલા પાંચ શ્લોકનો પાઠ આપ્યો. તે વિગત નીચે મુજબ છે. વર્ણ માતૃકનું ધ્યાન : કલિકાલ સર્વજ્ઞ ભગવાનશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં પહેલા ચાર શ્લોકમાં વર્ણ માતૃકાના ધ્યાનનો વિધિ બતાવ્યો છે. શ્રી સિદ્ધચકયંત્રમાં નવપદ પછી બીજા નંબરનું સ્થાન (બારાક્ષરીના ૪૯ અક્ષરો) વર્ણમાતૃકાને આપવામાં આવ્યું છે. બારાક્ષરી (બારાખડી)ના મ થી ૪ સુધીના ૪૯ અક્ષરો જે સ્કૂલમાં ભણાવવામાં આવે છે તેને યોગના ગ્રંથો "અનાદિ સિદ્ધ વર્ણમાતૃકાના" નામથી સંબોધન કરે છે. તેનું વર્ણન નીચે મુજબ છે. - (૧) આત્માની જ્ઞાનશકિત તે જ માતૃકા છે. (૨) માતૃકા જ્ઞાનશકિતરૂપ હોવાથી તેને વિશ્વબોધ વિધાયિની એટલે કે સર્વ પદાર્થોનો બોધ કરાવનાર કહેવામાં આવે છે. (૩) તે બુદ્ધિમાન પુરુષોના જ્ઞાનમય તેજનું માતાની જેમ જતન, પરિપાલન અને વિશોધન કરનારી હોવાથી માતૃકા કહેવાય છે. (૪) માતૃકા આત્માની પરમ જ્યોતિ છે. (૫) બારાક્ષરીના અ થી હ સુધી ૪૯ અક્ષરોનું યોગશાસ્ત્રમાં બતાવેલું ધ્યાન કરનાર સાધક શ્રુતજ્ઞાનનો પારગામી થાય છે. આ ૪૯ અક્ષરો Raw Material) - ખાણમાં રહેલા કાચા હીરાના સ્થાને છે અને જિનાગમ polished - તૈયાર હીરા સમાન છે. આ ૪૯ અક્ષરના ધ્યાનમાં તન્મય બનનાર સાધકને સકલ આગમમાં રહેલાં રહસ્યો, uથમાં રહેલ આમળાની જેમ સ્પષ્ટ અનુભવમાં આવે છે. (૬) કોઈપણ શબ્દ અગર ભાષા ૪૯ અક્ષરોમાંથી બને છે. જિનેશ્વર ભગવંતની વાણી ૪૯ અક્ષરોમાંથી ગુંથાય છે. ગણધર ભગવંતો દ્વાદશાંગીની રચના ૪૯ અક્ષરોના જુદી જુદી રીતે સંકલન દ્વારા કરે છે. જગતનો સર્વ લૌકિક અને લોકોત્તર વ્યવહાર ચલાવનારી મહાશકિત તે આ ૪૯ અક્ષરોરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy