SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ આ નવપદોને નમવું તે ગેરશિસ્ત છે, કારણ કે તે જીવને દુઃખનું કારણ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ-આ નવપદોને ન નમવું તે આપણા વિનાશનું કારણ છે, કારણ કે અરિહંત આદિ નિરંતર આપણું હિત કરે છે. આપણને સર્વ દુઃખથી મુકત કરવાનો જેમનો સંકલ્પ છે, આજ સુધી જેમના અનંત ઉપકાર નીચે આપણે આવ્યા છીએ, તેમને નહીં નમવાથી આપણે ધર્મમહાસત્તાના મોટા ગુનેગાર બનીએ છીએ અને આ (Criminaloffence) ફોજદારી ગુનાની સજા ભોગવવા આપણે નરક-નિગોદ આદિમાં ભટકવું પડે છે. અયોગ્યને ન નમવું તે શિસ્ત છે. પાંચ વિષયો અને ચાર કષાયો તે અયોગ્ય છે. તેને ન નમવું-તેના શરણે ન જવું તેની પરવશતા સહન ન કરવી તે જ સાચું શિસ્ત (discipline) છે. અરિહંત આદિ નવપદોનું શરણ એ જ વાસ્તવિક કર્તવ્ય છે. તે કર્તવ્યમાં સદા રકત રહેવું એ જ સાચો ધર્મ છે. સ્મરણ એટલે શરણ, (સ્મર" શર મમ) આપણે જેનું નિરંતર સ્મરણ કરીએ છીએ તેના શરણે છીએ. અરિહંત આદિનું નિરંતર સ્મરણ કરીએ છીએ, ત્યારે અરિહંત આદિને શરણે છીએ, અને આપણે વિષય-કષાયનું સ્મરણ કરીએ છીએ તો આપણે વિષય-કષાયના શરણે છીએ. સ્મરણ એ જ શરણ છે. સ્મરણ દ્વારા શરણગમનની આ સહેલી રીતને આપણે જીવનમાં શિસ્તબદ્ધ રીતે શરૂ કરીએ તો અનંતકાળના ભાવિ સુખનું સર્જન થાય છે અને ભવદુઃખનો અંત આવે છે. પંચ પરમેષ્ઠિઓને નમસ્કાર એ જ શિસ્તબદ્ધ સાચી સેવા છે. Supreme service to supremacy) પરમેષ્ઠિ પદોનું સ્મરણ અને તેના દ્વારા થતું શરણ તે જ આત્માનું Recu ziola (Divine song of the soul) . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy