SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ (૯) આ પ્રયોગના બતાવનારા કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીજીને અંતરથી પ્રણામ કરવા. ततो नीरागमद्वेषममोहं सर्वदर्शिनम् । सुराय समवस्ती कुर्वाणं धर्मदेशनाम् || १६ || યોગશાસ્ત્ર અષ્ટમપ્રકાશ સમવસરણમાં બિરાજમાન થઇ ધર્મ દેશના આપતા ધ્યાતાના આત્માને આ શ્લોકમાં બતાવ્યો છે. જાગૃત થયેલી આત્મશકિતનો શું ઉપયોગ કરવો તેનું રહસ્ય અહીં બતાવ્યું છે. વિશ્વકલ્યાણની સર્વોત્કૃષ્ટ કોઇ અવસ્થા હોય તો સમવસરણસ્થ જિન છે. અને તે વિશ્વકલ્યાણની સર્વોત્કૃષ્ટ સ્થિતિમાં સાધકને બતાવીને, જાગૃત આત્મશકિતનો ઉપયોગ જગતના જીવ માત્રના કલ્યાણ માટે કરવાનો છે તેવો માર્ગ શાસ્ત્રકાર મહાપુરુષે બતાવ્યો છે. આ રીતે જાગૃત થયેલ આત્મશકિતને ૧૬ વિદ્યાદેવીઓના અમૃત પ્લાવન દ્વારા સૌમ્ય બનાવી, અને તે જાગૃત આત્મશકિતને બ્રહ્મરંધ્રમાં પરમાત્મા સાથેના અભેદ દ્વારા આત્માનુભવનો રસાસ્વાદ કરાવી, જગતના જીવ માત્ર માટે આ શકિતને વાપરવી. આવો અમૃત અનુષ્ઠાનરૂપ દિવ્ય પ્રયોગ સાધકો માટે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ બતાવ્યો છે. અધ્યાત્મયોગી પૂ. પંન્યાસજી મહારાજ ભદ્રંકરવિજયજી મહારાજે આ પ્રયોગ આ પુસ્તકના લેખકને ૨૦૧૯માં શિખવાડેલો, જે તેમની કૃપાથી આજ પર્યંત ચાલુ રહી શક્યો છે. જૈન શાસ્ત્રકારોએ શકિત જાગરણ, કુંડલિની ઉત્થાન, ષટ્ચક્ર ભેદન, અને તે દ્વારા આત્મસાક્ષાત્કાર આદિ માટે બતાવેલા કેટલાક શાસ્ત્ર આધારો માટે 'સાલંબન ધ્યાનના પ્રયોગો પરિશિષ્ટ ૩માં કહ્યું છે કે ઃ કુંડલિની ઉત્થાન, શક્તિ જાગરણ માટેનો આ અદ્ભુત પ્રયોગ છે. ષટ્ચક્ર ભેદન દ્વારા પરમાત્મ તત્ત્વ સાથે સમાપત્તિ અને અભેદ ધ્યાન દ્વારા આત્મ-સાક્ષાત્કારનો આ અદ્ભુત પ્રયોગ છે. જૈન શાસ્ત્રકાર મહર્ષિઓ કુંડલિનીના વિષયમાં શું કહે છે તે શાસ્ત્રના આધાર સહિત ટૂંકાણમાં જોઈએ. Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy