SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ આત્માના જ્ઞાન ગુણને રોકનારૂં જે કર્મ છે, તેનો ક્ષયોપશમ થવાથી આત્માનો જ્ઞાન ગુણ પ્રગટ થાય છે. આવો આત્મા તે જ્ઞાન છે. ચારિત્રપદ : જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુદ્ધ અલંર્યો, મોહ વને નવિ ભમતો રે. વીર જિનેશ્વર૦ આત્મા સિવાયના અન્ય પદાર્થોને મોહનું વન સમજીને, આત્મા સિવાયના અન્ય પદાર્થોમાં જેની વૃત્તિ કદી પણ જતી નથી, જે શુદ્ધ લેશ્યા અને શુદ્ધ ભાવોથી અલંકૃત છે, અને જે આત્માના શુદ્ધ ચૈતન્યમાં રમણતાનો પરમાનંદ નિરંતર અનુભવે છે - આવો આત્મા તે ચારિત્ર છે. પરમાત્માના ધ્યાનના અભેદ દ્વારા પોતાના આત્માના વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં રમણતાનો પરમાનંદ જે અનુભવે છે - આવો આત્મા તે ચારિત્ર છે. સ્વરૂપ રમણતાના પરમાનંદના સુખની અનુભૂતિ બાર મહિનાના ચારિત્રપર્યાયમાં અનુત્તર વિમાનવાસી દેવ કરતાં અધિક સુખનો અનુભવ હોય છે. તપપ : ઇચ્છારોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે; તપ તે એહી જ આતમા, વર્તે નિજ ગુણ ભોગે રે. વીર જિનેશ્વ૨૦ આત્મસ્વરૂપના અનુભવનું જે સુખ છે તેની તુલનામાં જગતનું કોઇ સુખ આવી શકતું નથી. અને આવા સુખનો જીવનમાં અનુભવ થયા પછી જગતના કોઇ પદાર્થની ઈચ્છા રહેતી નથી. સત્તામાં પડેલાં કર્મ ઉદયમાં આવે ત્યારે પણ જે સાધક આત્મા રાગ-દ્વેષ રૂપે, સુખ-દુ:ખ રૂપે પરિણમતો નથી, પણ સમતાભાવમાં પરિણમે છે-તેવો આત્મા જે નિજ ગુણના ભોગમાં પ્રવર્તે છે - તે આત્મા જ તપ છે. નિ ગુણનો ભોગ આત્મા કેવી રીતે કરતો હશે? સાતમા સુપાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં શ્રી દેવચંદ્રજી મહારાજા, પરમાત્મા પરમાનંદનો ભોગ કેવી રીતે કરે છે તે બતાવે છે. અનંત ભોગગુણ પરમાત્મામાં પૂર્ણપણે પ્રગટ થયેલો છે; તો પરમાત્મા શાનો ભોગ કરે છે? આત્માના ગુણોનો (નિજ ગુણનો) ભોગ કરે છે. આત્મામાં રહેલા અનંત ગુણો એકબીજાને સહકારી Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy