SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ કરવાની જ્વલંત પ્રેરણા આપે છે. મૈત્રી, પ્રમોદ, કરુણા, પ્રેમ, વાત્સલ્ય, દયા, પરોપકારના ભાવોથી મન અને હૃદય સદા ભર્યું ભર્યું રાખો. પછી જુઓ જીવનની મજા. विश्वजंतुषु यदि क्षणमेकं तत्सुखं परममत्र परत्रा * (અધ્યાત્મ કલ્પદ્રુમ) હે મન! તું સર્વ પ્રાણી ઉપર સમતાપૂર્વક એક ક્ષણવાર પણ પરહિતચિંતા રૂપ મૈત્રીભાવ ભાવીશ તો તને આ ભવ અને પરભવમાં એવું સુખ મળશે કે જે તેં કદી અનુભવેલ ન હોય. साम्यतो भजसि मानस मैत्रीम् । प्यश्नुषे न यदभूत्तव जातु ॥ "सव्वभूयप्पभूअस्स सम्मं भूआई पासओ” દશવૈકાલિકનું આ સૂત્ર સર્વ જીવ સાથે આત્મસમાન ભાવથી ભાવિત થવાનું કહે છે. ``આતમ સર્વ સમાન નિધાન મહાસુખ કંદ, સિદ્ધ તણા સાધર્મી સત્તાએ ગુણ-વૃંદ" ધ્યાન મુદ્રામાં બેસો. આંખ બંધ કરી દો. મન શાંત કરો. અધ્યાત્મ ગીતા સર્વ જીવો આપણા આત્માની સમાન છે. સિદ્ધભગવંતના જેવું જ આત્મચૈતન્ય જીવ માત્રમાં વિલસે છે. સર્વ જીવો આનંદસુખના કંદ છે. સત્તાએ અનંત ગુણના ભંડાર છે. જગતના જીવો સાથે મૈત્રી, કરુણા, પ્રેમ કેવી રીતે વિકસિત કરવા તે માટે આપણે એક પ્રયોગ કરીએ. આવો, વાચક મિત્રો! આપણે એક દિવ્ય આરાધના કરીએ. Jain Education International - અનંત કરુણાના નિધાન અરિહંત પરમાત્મા આપણી સમક્ષ બિરાજમાન છે. (આવું દૃશ્ય જોવું) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy