SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ તીર્થંકર પરમાત્મા વિશ્વના કલ્યાણભાવની પરાકાષ્ઠાએ પહોંચેલા છે. આવા મહાકરુણાના નિધાન, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્યરસના ભંડાર પરમાત્માની કરુણા જગતના જીવ માત્ર ઉપર સિદ્ધશિલાથી છેક નીચે સાતમી નારકી સુધી વરસી રહી છે. ચૌદ રાજલોક પરમાત્માની કરુણાથી પરિપ્લાવિત થઈ રહ્યું છે... (આવું દૃશ્ય આપણે જોઈએ છીએ.) અતિ અદ્ભુત અને આનંદમય દશ્ય આપણે જોઈએ છીએ........... તેનાથી આપણા હૃદયમાં ભાવોલ્લાસ ઉત્પન્ન થાય છે. આપણા હૃદયમાં પણ સર્વ જીવ સાથે મૈત્રીભાવ ઉલ્લસિત થાય છે. આપણી જગતના જીવમાત્રના કલ્યાણની ભાવના પણ પરમાત્માની કરુણા સાથે મળે છે........... અદ્ભુત ભાવોલ્લાસ આપણામાં પ્રગટે છે સર્વ જીવોનું કલ્યાણ થાઓ સર્વ જીવો દુઃખ મુકત બનો....... સર્વ જીવોનાં પાપ નાશ પામો સર્વ જીવોને પરમાત્માનું શાસન મળો બધા જ બોધિબીજને પામો સર્વને મોક્ષ મળો સર્વ જીવ મારા આત્માની સમાન છે મને સર્વ પ્રત્યે મૈત્રી છે. મને સર્વ પ્રત્યે સ્નેહભાવ છે સર્વ જીવો સત્તાએ પરમાત્મ તુલ્ય છે..... પરમાનંદના કંદ છે અને અનંત ગુણના વૃંદ છે...... સર્વ જીવ પ્રત્યે મને પૂર્ણ પ્રેમ છે.............. સર્વેનું કલ્યાણ-મંગળ થાઓ. સૌને આનંદ થાઓ...... સર્વ જીવો પ્રભુની કરુણાના પાત્ર છે, તેથી મારા પરમ બાંધવ છે. સર્વ જીવ ઉપર કરુણાને વરસતી જોવી........પ્રભુની કરુણામાં આપણો કરુણાભાવ ભેગો ભળ્યો છે. પ્રભુની કરુણાના મહાસાગરમાં આપણો બિન્દુરૂપ ભાવ ભળી જાય છે. ઉદક બિન્દુ સાયર ભળ્યો (In tune with Infinite) આવી અવસ્થા છે...... Jain Education International ..... ***** ........ **** **** ********* ****... For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy