SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ નવપલ્લવિત કરતા જ રહ્યા. પૂ. ગુરુભગવંતના અણુએ અણુમાં અરિહંત પદનો રણઝણાટ સંભળાતો, તેમના આત્માના પ્રદેશ પ્રદેશમાં અરિહંત પદના નાદનો ગુંજારવ થતો, અરિહંત પદના વર્ણન કરતા ત્યારે તેમના મુખ ઉપર હર્ષ, આનંદ, રોમાંચ આદિ વ્યાપી જતાં. તે વખતે પૂ. ગુરુભગવંતના મુખારવિંદનું દર્શન અત્યંત પાવનકારી બનતું. અરિહંત પરમાત્માની વાત કરે ત્યારે તેમનું ચિત્ત પ્રભુને સંપૂર્ણ સમર્પિત હોય તેવું દીસે, હૃદય અરિહંત ભાવથી ભાવિત થયેલું અનુભવાય, વાણી તો પ્રભુના સાચા સંદેશવાહકની જેમ પુષ્પરાવર્ત મેઘ સમી પ્રશમરસનું પાન કરાવે, મોહાન્ધકારથી વ્યાપ્ત બનેલા જીવોના નેત્રમાં પ્રવચન અંજન જેવી દિવ્ય સુમધુર વાણીનું પાન કરાવે. - સાધકને આ રીતે પૂ. ગુરુભગવંત અરિહંત પદનું અમૃત ઘૂંટી ઘૂંટીને કેટલાય વર્ષો સુધી પીવડાવતા જ રહ્યા અને સાધકની સુષુપ્ત ચેતનાને અરિહંત ભકિતમાં ઉદ્યમવંત બનાવવા પ્રેરણા આપતા જ રહ્યા. સાધકના પુરુષાર્થને જિનભકિતની જ્વલંત દિશામાં કાર્યશીલ બનાવતા રહ્યા... I પૂ. ગુરુ મહારાજ સાથે કદાચ કોઈ વાદ કરવા આવે ત્યારે | આપણને ખ્યાલ આવે કે - ગુરુ વાદ નથી કરતા, સંવાદ કરે છે. ગુરુ ખંડન નથી કરતા, મંડન કરે છે. I તે પ્રતિપક્ષીનું પણ તેની અપેક્ષાએ સમર્થન કરે છે. જે અસંમત થવા માટે આવે છે, તેને ગુરુ મહારાજ સહમત i કરે છે. | “ના” કહેવા આવેલા, “હા” માટે આવેલા બની જાય છે. તે કદી કોઈનો વિરોધ ન કરે. તેમની અવિરોધી વાણી છે. વિરોધીની વાણીને પણ સ્વાદવાદ ભાવે સહકારી બનાવે છે. પૂ. ગુરુ મહારાજ વિચ્છેદક નહિ, સંયોજક છે. તે કહેતા-“વાદ કરવા આવેલા-વિરોધ કરવા આવેલા ગૌતમસ્વામીને પરમાત્મા મહાવીર દેવે વેદ વચનનો અર્થ સમજાવીને સંવાદી અને સહકારી બનાવ્યા. આવો છે પૂજય ગુરુ મહારાજની મૈત્રી અને પ્રેમપૂર્ણ આંતર વૈભવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy