SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ અરિહંતોની લોકોત્તર મહાનતા પૂજ્યશ્રીનું ૨૦૧૫નું ચાતુર્માસ જામનગર હતું. ત્યાં વારંવાર સાધકને વંદનાર્થે જવાનું થતું. પૂ. ગુરુમહારાજ આ ચાતુર્માસ “અરિહંત' પદના વિશિષ્ટ રીતે ચિંતન, મનન, ધ્યાન આદિમાં રકત હતા. તેમણે સાધકને લલિત વિસ્તરા ગ્રંથ ઉપરથી અરિહંત પરમાત્માના સ્વરૂપનું અમૃતપાન કરાવતા કહ્યું કે અનાદિ કાલીન વિશિષ્ટ કોટિના તથાભવ્યત્વને ધારણ કરનાર અરિહંત પરમાત્માનો આત્મા નિગોદથી માંડીને વિશેષ યોગ્યતાને ધારણ કરનારો હોય છે “કૃતજ્ઞતા. પતયઃ” “પરાર્થ વ્યસનીઃ” કૃતજ્ઞતા ગુણના સ્વામી, પરોપકારના વ્યસનવાળા - આવા ગુણોથી અલંકૃત અરિહંત પરમાત્માના આત્માનું તથાભવ્યત્વ વિશેષ પ્રકારનું હોય છે. કાચનો ટુકડો અને જાતિવંત રત્ન બે વચ્ચે જેટલો ફરક હોય છે, તેટલો ફરક સામાન્ય જીવો અને અરિહંત પરમાત્માના આત્મા વચ્ચે હોય છે. પરમાત્માનો આત્મા છેલ્લેથી ત્રીજા ભવે સકલ જીવરાશિના કલ્યાણ ભાવની પરાકાષ્ઠાએ પહોંચે છે. છેલ્લાથી ત્રીજા ભવે વર બોધિ - સમ્યક્ત્વની અસાધારણ નિર્મળતાને પામીને તીર્થંકરનો આત્મા ભવસંસાર સમુદ્રમાં દુ:ખી થઈ રહેલા જગતના અનંત જીવોને જોઈને વિચારે છે – “જિનેશ્વર ભગવંતનો ધર્મરૂપી ઉદ્યોત જગતમાં વિદ્યમાન હોવા છતાં, મિથ્યાત્વ આદિ મોહાંધકારને કારણે જગતના જીવો ભવસંસાર સમુદ્રમાં દુઃખી થઈ રહ્યા છે. મને જો કોઈ એવી શકિત પ્રાપ્ત થઈ જાય તો ભવભ્રમણની પીડાથી દુઃખી થઈ રહેલા આ જગતના જીવોને ભવસંસાર સમુદ્રથી પાર ઉતારૂં. સર્વજ્ઞ ભગવાનના ધર્મરૂપી ઉદ્યોત વડે નિસર્ગથી જ જ્યાં અનંત સુખ છે તેવો મોક્ષ હું સહુને પમાડવાવાળો બનું.” આ ભાવની પરાકાષ્ઠાએ તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે અને છેલ્લા ભવે સકળ વિશ્વને કલ્યાણકારી ધર્મતીર્થની સ્થાપના કરે છે, તે સમયે પ્રાતિહાર્યો, અતિશયોની સંપદા પ્રગટે છે વગેરે તીર્થકરનો મહિમા ગુણો, તેમના દર્શન, વંદન, પૂજન, સ્તવન, ધ્યાન, સ્મરણ અને આજ્ઞાપાલનથી થતાં અનંત લાભો આદિનું વર્ણન નિરંતર ચાલતું. પૂ. ગુરુભગવંત અરિહંત પરમાત્માના અમૃત રસથી સાધકને ભાવોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy