SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ આદિ ગુણોથી આપણે ભરાઈ જઈએ છીએ. પ્રભુની ગુણ રૂપી ગંગામાં સ્નાન કરવાથી આપણે પવિત્ર બન્યા છીએ. નિર્મળ - શુદ્ધ બન્યા છીએ. પૂ. ગુરુમહારાજ :- પાપ દહન વખતે જે વિશેષ દુષ્યવૃત્તિઓ આપણને હેરાન કરતી હોય, તેને ખાસ સંકલ્પપૂર્વક બાળી નાંખવી. ગુણગંગામાં સ્નાન વખતે આપણને જે ખાસ ગુણની જરૂર હોય તે આપણા અંદર પ્રવેશે છે તેવો સંકલ્પ કરવો. દા.ત. આપણામાં ઉદારતા ગુણ નથી. તો પ્રભુ ગુણગંગામાં સ્નાન વખતે ઉદારતા ગુણ આપણામાં પ્રવેશી સ્થિર બને છે તેવો સંકલ્પ કરવો. પૂ. ગુરુમહારાજ સાધકને ઉદ્દેશીને કહે છે - જે સાધના ૧૨ નવકારથી માંડીને શરૂ થઈ તે પ્રતિદિન ચાલુ રાખવી. ધીમે ધીમે સાધના વધારતા જવું. સિદ્ધચક્ર પૂજન, નવકારનો જાપ, નવપદની આરાધના, ઓછામાં ઓછું બિયાસણાનું પચ્ચક્ખાણ, સામાયિક, પ્રતિક્રમણ, શાસ્ત્ર અધ્યયન, સંતસમાગમ નિયમિત કરવા. આરંભ-સમારંભ બને તેટલો ઓછો કરવો. સર્વ સાથે ઉચિત વ્યવહાર, મૈત્રી આદિ ભાવોથી ભાવિત રહેવું, અને ધારણા ધ્યાન માટે વિશેષ પ્રયોગાત્મક રીતે આગળ વધવું. - પાંચે ઈન્દ્રિયોના વિષયો ઉપર કાબુ રાખવો અને સંતોષ વૃત્તિને ધારણ કરવી. સદ્ગુરુ બોધિ અને સમાધિ પુષ્ટ કરનાર વચનો વડે સાધકને વિભૂષિત કરે છે. ગુરુ મહારાજના પ્રશમરસ નિમગ્ન નીચાં ઢળતાં નયનો, પદ્માસનની વિશાળ પલાંઠી, પ્રેમભરી સૌમ્ય દૃષ્ટિ, વાત્સલ્ય સભર અનુભવ ભાવિત વાણીનો મેધ, હૃદયમાંથી ઝરતું સકલ સત્ત્વહિતાશય સ્વરૂપ સુમધુર ઝરણું! અહો! અહો! પૂર્વે સંચિત કરેલાં પુણ્ય જાગ્યાં, પૂર્વજન્મના ગુરુભગવંતના સંબંધોનું અનુસંધાન થયું ત્યારે આપણું આવા સંતના ચરણરજ રૂપે તેમની સમક્ષ ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય જાગ્યું! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy