SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ પુરુષના મનમાં ઉત્પન્ન થયેલું મંદિર તેાdeal Reality -મનોમય ભૂમિકા ઉપરનું સત્ય છે. જગતમાં જેટલાં યુદ્ધ થયાં તેમાં સૌથી પહેલાં મનુષ્યનાં મનમાં યુદ્ધ થાય છે. તે પછી ઘણા વખત પછી રણમેદાનમાં યુદ્ધ થાય છે. મનમાં ઉત્પન્ન થયેલું યુદ્ધ Ideal Reality નું યુદ્ધ છે. રણમેદાનમાં ખેલાતું યુદ્ધ Objective Reality નું યુદ્ધ છે. (ભૌતિકરૂપે પ્રગટ થયેલું સત્ય.), આપણે દુકાન કે કારખાનું કરવું હોય ત્યારે દુકાન કે કારખાનું સૌથી પ્રથમ આપણા મનમાં ઉપસ્થિત થાય છે. તે પછી આપણે જગ્યા ખરીદીએ છીએ. તેમાં વેપાર, નફો વગેરે થાય છે. નફો કરતી દુકાન કે કારખાનું તે (objective Reality) ભૌતિકરૂપે પ્રગટ થયેલું સત્ય છે. અને મનમાં ઉપસ્થિત . થયેલ દુકાન કે કારખાનું તે (Ideal Reality) મનોમય ભૂમિકા ઉપરનું સત્ય છે. જો આપણા મનમાં તે દુકાન કે કારખાનું ન આવ્યું હોત તો આપણે કદી દુકાન કે કારખાનાના માલિક બની શકત નહીં. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનમાં ઊભેલા હતા. બહાર કોઈ દુશ્મન સાથે યુદ્ધ ખેલાતું ન હતું. કોઈ શસ્ત્ર પણ ન હતાં, છતાં પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનમાં ખેલાતું યુદ્ધ તે (Ideal Reality) મનોમય ભૂમિકા ઉપરનું સત્ય છે. કારણ તે મનનું યુદ્ધ સાતમી નરક સુધી પહોંચાડવાને સમર્થ હતું. તે યુદ્ધના ભાવમાં પલટો આવતાં, આત્મધ્યાનમાં ચઢતાં તે કેવળજ્ઞાન સુધી પહોંચી શક્યા. ચૌદ રાજલોકના બન્ને છેડા સુધી પહોંચાડવાનું સામર્થ્ય પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનની અંદર ચાલી રહેલ ભાવોમાં હતું. આ દૃષ્ટાંત ઉપરથી એક વસ્તુ સમજાય છે કે, ભૌતિક રૂપે પ્રગટ થયેલું સત્ય, પહેલાં તો મનુષ્યના મનમાં ઉત્પન્ન થાય છે. આવી રીતે પરમાત્મા પણ પહેલાં આપણા મનમાં ઉપસ્થિત થાય છે, મોક્ષ પણ પહેલાં આપણા મનમાં ઉત્પન્ન થાય છે, પછી સાચો મોક્ષ પ્રગટ થાય છે. જેવી રીતે કલ્પનાના યુદ્ધમાં સાતમી નારકી સુધી પહોંચાડવાનું સામર્થ્ય છે, તેવી રીતે કલ્પનાના ભગવાનમાં મોક્ષ પયતની સંપદાઓ આપવાનું સામર્થ્ય છે. આપણે ધ્યાન સમયે આંખ બંધ કરીને જે કાંઈ દૃશ્ય જોઇએ છીએ, જે કાંઈ ભાવથી ભાવિત બનીએ છીએ, જે કાંઈ સંકલ્પ કરીએ છીએ, તેની આપણા ઉપર શું અસર થાય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy