SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ હવે સાધક (આપણે) પ્રભુને પ્રાર્થના કરે છે : “હે કરુણાસાગર પરમાત્મા! આપના તો સર્વ દોષ નાશ પામ્યા છે. આપ વીતરાગ પુરુષ સર્વ દોષ રહિત છો. હું તો પાપથી પરિપૂર્ણ છું. વાસનાઓ હજા સતાવે છે. કષાયો પીછો છોડતા નથી. વિષયોના રસથી ભરેલો છે. પ્રભુ! હું બહારથી આપનો ભકત કહેવાઉ છું, પરંતુ અંદરથી મારી આ સ્થિતિ છે. ગમે તે રીતે આપ પાપથી મુક્ત કરો, મુકત કરો!” તે વખતે સામે રહેલા કરુણાસિંધુ પરમાત્માની કરુણા અગ્નિની જ્વાળાનું રૂપ ધારણ કરે છે. પ્રભુની કરુણાએ નિગ્રહ સ્વરૂપ ધારણ કર્યું છે. અગ્નિવાળા આપણી ચારે તરફ વીંટાઈ વળે છે. તેમાં સર્વ પાપ બળે છે. કષાયો અને વાસનાઓ પણ અગ્નિજવાળામાં બળી રહી છે. (પાપ બળી ગયાં છે તેવું લાગે ત્યાં સુધી અગ્નિ પ્રયોગને ચાલુ રાખવો. થોડી ક્ષણો માટે વિષયો, કષાયો તથા પાપને બળતા જોવા....... પાપો બળી રહ્યાં છે તે સંકલ્પ દઢ કરવો.) ધીમે ધીમે અગ્નિ શાંત થાય છે. પૂ. ગુરુમહારાજ ઃ આવા પ્રયોગ કરતી વખતે આંખ બંધ કરીને કાંઈ દેખાતું ન હોય છતાં, વારંવાર આવું ચિંતન કરવાથી ધીમે ધીમે બળતા દેખાવા માંડશે. ખૂબ જ પોઝીટીવ (Possitive Attitude વાળા) રહેવું. Ideal Reality - (મનોમય ભૂમિકા ઉપરનું સત્ય) ભગવાન મહાવીરસ્વામી ૨૫૨૦ વર્ષ પહેલાં થઈ ગયા. નિર્વાણ પામી મોક્ષે ગયા. તે Historical Reality - ઐતિહાસિક સત્ય છે. તે જાણવા માટે ઘણું ઉપયોગી છે; જ્યારે પરમાત્માની ભક્તિ, ઉપાસના, ધ્યાન સમયે deal Reality મનોમય ભૂમિકા ઉપરનું સત્ય કામ આવે છે. દા. ત., મહેસાણામાં સીમંધરસ્વામીનું મંદિર છે. ત્યાં અત્યારે આપણે જઈને પૂજા-સેવા કરી શકીએ છીએ, તે ભૌતિક રૂપે પ્રગટ થયેલું સત્ય (Objective Reality) કહેવાય. આજથી ૩૦ વર્ષ પહેલાં તે સ્થળે જંગલ હતું. તે વખતે એક સંત પુરુષના મનમાં વિચાર ઉત્પન્ન થયો કે એક મોટું મંદિર હોવું જોઈએ, તેમાં મોટા સીમંધરસ્વામી ભગવાન બિરાજમાન હોવા જોઈએ વગેરે. ત્રીસ વર્ષ પહેલાં સંત પુરુષના મનમાં ઉત્પન્ન થયેલું મંદિર તે મનોમય ભૂમિકા ઉપરનું સત્ય (Ideal Reality) છે. જો સંત પુરૂષના મનમાં ૩૦ વર્ષ પહેલાં તે મંદિર ન આવ્યું હોત, તો અત્યારે ત્યાં જંગલ હોત અગર બીજું કાંઈ હોત. સંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy