SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ (પ્રભુની કરુણાની ધારામાં સ્નાનનો કાર્યક્રમ નિયમિત ચાલતો હતો. સાધના સિવાયના સમયે પણ પરમાત્માની કરુણાનું અનુસંધાન રહેતું. ઉપર મુજબ વાર્તાલાપ પછી થોડા દિવસોમાં પરમાત્માની કરુણા પૂ. ગુરુમહારાજે કહ્યા મુજબ કાર્યશીલ બની.) અત્રે ખાસ યાદ કરાવવું જરૂરી છે કે પૂ. ગુરુમહારાજના મુખમાંથી નીકળતું પ્રત્યેક વાક્ય અનુભવની ભાષા છે. તે વિશિષ્ટ હેતુપૂર્વક જ કાંઈપણ કહેતા હોય છે. સાધકને વારંવાર ગુરુભગવંતનો મેળાપ થતો હોવાથી, જિનઆગમના રહસ્યોથી પૂ. ગુરુભગવંત સાધકને પાવન કરી જ રહ્યા. અહીં તો માત્ર આત્માના અનુભવની પ્રક્રિયા પૂરતી જ નોંધ લીધી છે. દરેક વર્ષના ૧૨૦ દિવસ અંદાજે સાધકને પૂ. ગુરુભગવંતનું સાન્નિધ્ય ૨૦૧૪ના ચૈત્ર મહિનાથી ૨૦૩૬ સુધી રહ્યું. તેમાં જિન આગમના રહસ્યોની અને જૈન અને જૈનેતર ગ્રંથોના સારરૂપ તત્ત્વની વિચારણા થતી, જેની નોંધ કરીએ તો ગ્રંથોના ગ્રંથો ભરાઈ જાય. (તેમાંની કેટલીક તત્ત્વ વિચારણા પૂ. પં.ભદ્રંકર વિજયજીએ રચેલા સાહિત્યમાં પ્રકાશન થયેલ છે. અને હવે પછી પ્રકાશન થનાર સાહિત્યમાં આવશે.) અહીં તો માત્ર અનુભવાત્મક પ્રક્રિયાની સામાન્ય નોંધ લખી છે. તેનું વિશેષ સ્વરૂપ વ્યક્તિ વિશેષ માટે જ ઉપયોગી હોવાથી અહીં નોંધ્યું નથી. ૨૦૧૩ના ચૈત્રથી ૨૦૩૩ના વૈશાખ સુધીના ૧૯ વર્ષ દરમ્યાન અંદાજે ૨૨૮૦ દિવસનું સાન્નિધ્ય આપવાની કૃપા ગુરુભગવંતે કરેલી. તેમાં સાધકને સંબોધી દરરોજ વિશેષ પ્રકારે ધર્મબોધ આપેલ. ૨૦૩૩ના વૈશાખ પછી પૂ. ગુરુમહારાજની શારીરિક અનુકૂળતા ન હતી, તે વખતે મૌનપણે પણ આશીર્વાદ આપતા જ હતા. મૌનની પણ ભાષા હોય છે. નિકટના પરિચયવાળો શિષ્ય, મૌની ગુરુની ભાષાને અનુભવી શકે છે. ગુરુ ચરણકમળમાં બેસવા દઈને આવું સાન્નિધ્ધ આપનાર આ સાચા સંત પ્રાણથી પણ વધુ વહાલા લાગે છે!.......... પ્રભુની કરુણાની પ્રક્રિયા અદ્ભુત રીતે ગોઠવાઈ ગઈ. પૂ. ગુરુમહારાજે “આરાધના કેમ ચાલે છે? નવું શું અનુભવાય છે”? પૂછ્યું ત્યારે સાધકે કહ્યું: પ્રભુની કરુણામાં સ્નાન કરવાથી સાધકના રોગ, શોક, દુ:ખ, ભય, ચિંતા ચાલ્યાં ગયાં હોય તેવું અનુભવાય છે. સાધક સુખ, શાંતિ, આનંદ અને નિર્ભયતાથી ભરાઈ ગયો હોય તેવું અનુભવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy