SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ તુરત પાનસરના દેરાસરના કમ્પાઉન્ડમાં ટાવર છે, તેની નીચેની રૂમમાં પૂ. ગુરુમહારાજ બિરાજમાન છે. સામે સાધક બેઠેલો છે. પૂજ્ય ગુરુમહારાજ સાંજે પાંચ વાગે પોતાની આંગળી વડે સાધકના આજ્ઞાચક્રમાં (ચાંલ્લો કરવાનું સ્થાન) `અટ્ઠ' મંત્ર લખ્યો, અને આજ્ઞાચક્રમાં `અદ્ભુના ધ્યાનની પ્રક્રિયા બતાવી. (પૂ. ગુરુમહારાજે) એવો ભાવપૂર્વકનો આશીર્વાદ આપ્યો જેથી આજે ચોત્રીસ વર્ષો પછી પણ પૂ. ગુરુમહારાજે વાત્સલ્યપૂર્વક આજ્ઞાચક્રમાં આલેખેલો દિવ્ય પ્રકાશમય 'અ' મંત્ર સાધક પોતાના આજ્ઞાચક્રમાં નિહાળી પરમાત્મ તત્ત્વના અનુસંધાનમાં જઈ શકે છે.) પ્રિય વાચક ભાગ્યશાળીઓ! પુષ્કરાવર્ત મેઘની જેમ ગુરુમહારાજ સાધક ઉપર કરુણા વરસાવે છે, ગુરૂમહારાજ શિષ્યમાં શકિતનું સંક્રમણ કરે છે. પરમાત્મા પાસે પહોંચવાનું દ્વાર સદ્ગુરુ ખોલી આપે છે, પરમાત્માનો સંબંધ જોડી આપે છે. સાધક તો ધન્ય ધન્ય બની જાય છે! શરીરનું ભાન ભૂલી જાય છે. નેત્રમાંથી અનરાધાર વરસતી કરુણા, હૃદયમાંથી વરસતું વાત્સલ્ય, મુખમાંથી વરસતી મૃદુ મનોહર તત્ત્વસભર વાણી સ્વરૂપ ગુરુના હૈયાના હેતને પામીને સાધક ધન્ય, કૃતપુણ્ય બને છે. આજે પણ તે પ્રસંગ જ્યારે યાદ કરૂં ત્યારે રોમાંચ થઈ જાય છે. ૨૦૧૪ ચૈત્ર સુદ પૂનમ પછી પૂ. ગુરુમહારાજ પાસે વંદનાર્થે સાધકને વારંવાર આવવાનું થયું. સિદ્ધચક્ર પૂજન વિધિનું પુસ્તક પૂ. ગુરુમહારાજે અભ્યાસ માટે આપ્યું. તથા બીજા યોગ અને અધ્યાત્મના ગ્રંથોનું વાંચન કરવા કહેલું અને સાધનામાં પૂજ્ય ગુરુમહારાજનો અનુગ્રહ વધતો ચાલ્યો. ૨૦૧૪ના ભાદરવા વદ દસમથી આસો સુદ પૂનમ સુધી એક લાખ નવકારની આરાધનાનું વિશિષ્ટ અનુષ્ઠાન નવા ડીસામાં પૂ. ગુરુમહારાજની નિશ્રામાં ગોઠવાયું. ખીરનાં એકાસણાં અથવા આયંબિલના તપપૂર્વક દ૨૨ોજની ૫૦ બાંધી નવકારની માળાનો જાપ કરવાનો, જેથી ૨૦ દિવસમાં એક લાખ નમસ્કારમંત્રનો જાપ પૂરો થઈ શકે. દરરોજ પાંચ હજાર પુષ્પથી પ્રભુ પૂજા - જેમાં એક નમસ્કાર મંત્ર ગણીને એક ફૂલ ચઢાવવાનું. આવી વિશિષ્ટ આરાધનામાં જોડાવાનું સૌભાગ્ય સાધકને પૂ. ગુરુમહારાજની પ્રેરણાથી મળ્યું. यो लक्षं जिनबद्धलक्ष्यसुमनाः सुव्यक्तवर्णक्रमम्, श्रद्धावान् विजितेन्द्रियो भवहरं मन्त्रं जपेच्छ्रावकः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy