SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ૨૭ पुष्पैः श्वेतसुगन्धिमिश्च विधिना लक्षप्रमाणैर्जिनं, यः संपूजयते स विश्वमहितः श्रीतीर्थराजो भवेत् જિનેશ્વર પ્રત્યે લક્ષ્ય બાંધવા પૂર્વક સુંદર મનવાળો જે જિતેન્દ્રિય અને શ્રદ્ધાવાનું શ્રાવક સુસ્પષ્ટ વર્ષોચ્ચારપૂર્વક સંસારનો નાશ કરનાર એવા પંચપરમેષ્ઠિ નમસ્કારનો એક લાખ વાર જાપ કરે અને શ્વેત સુગન્ધિ લાખ પુષ્પો વડે શ્રી જિનેશ્વરદેવની વિધિ પૂર્વક સમ્યફ પ્રકારે પૂજા કરે, તે ત્રિભુવન પૂજ્ય તીર્થકર થાય. આ વીસ દિવસમાં પૂ. ગુરુમહારાજની પ્રેરણા મુખ્યતયા પરમાત્માની કરણા પ્રત્યે ગ્રહણશીલ મનોવૃત્તિ (Receiptive Attitude) કેવી રીતે પ્રાપ્ત કરવી તે વિષે હતી. તે ઘણી વખત કહેતા-પરમાત્મા અનંત કરુણાના નિધાન છે, કૃપાના અવતાર છે, દયાના સમુદ્ર છે, વાત્સલ્ય રસના ભંડાર છે. જગતના સર્વ જીવ ઉપર એકધારી કરુણા તે વરસાવી રહ્યા છે," સ્વયંભૂરમણસ્પર્ધા કરુણા રસ વારિણાં- સ્વયંભૂરમણ સમુદ્રની પણ સ્પર્ધા કરે તેવા અનંત કરુણાના રસથી ભરપૂર અરિહંત પરમાત્મા છે. પરંતુ વરસાદ પડતો હોય ત્યારે જેનું પાત્ર ઊંધુ હોય તેનું ખાલી રહે છે અને જેનું પાત્ર સીધું હોય તેનું પાત્ર ભરાય છે. પછી તે પાત્ર થાળી જેવડું હોય કે સરોવર જેવડું હોય - બધું જ ભરાઈ જાય છે. જે મનુષ્ય ભગવાનની કરુણાને પોતાના હૃદયમંદિરમાં ઝીલે છે, તેને પરમાત્માની કરુણાનો પૂર્ણ લાભ મળે છે. પરમાત્માની કરુણાને હૃદયમાં ઝીલવા માટેની યોગ્યતા પ્રગટ કરવા માટેનો મંત્ર છે - નમો અરિહંતાણં પરમાત્માના અનંત ઉપકારો પ્રત્યેનો કૃતજ્ઞભાવ નમો દ્વારા અભિવ્યકત થાય છે. નમો ભાવ દ્વારા આરાધક પોતાના આત્માનું પરમાત્માને સમપર્ણ કરે છે. નમસ્કારભાવથી અહંકાર ઓગળી જાય છે. નમસ્કાર ભાવથી સાધકનું હૃદય પરમાત્માની કરુણાને ઝીલવા માટે (Receiptive Attitude વાળું) યોગ્ય બને છે. માટે પરમાત્માની કસ્તાને હૃદયમાં ઝીલવા માટે પ્રયત્નશીલ બનવું." ઉપરના અતિ પ્રેરણાદાયી વચનો સાધકના હૃદયમાં સક્રિય રૂપે કાર્યશીલ બન્યાં. ભગવાનની કરુણાને હૃદયમાં ઝીલવા માટેની પ્રક્રિયા ગોઠવાઈ ગઈ. તે ઓળીના દિવસોમાં જ એક વખત ગુરુમહારાજે આરાધના વખતે આવતા ભાવો અભિવ્યકત કરવા માટે સાધકને કહેલું, ત્યારે સાધકે અભિવ્યકત કરેલા ભાવો પ્રયોગાત્મક રીતે નીચે જણાવેલ છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy